સાવરકુંડલા
સાવરકુંડલા શહેર માં ચાલતા વિકાસ ના કામો મા રાજ્ય ધોરી માર્ગ ની
કામગીરી તેમજ નાવલી નદી પર ચાલતી ગટર કામગીરી ની ચાલુમાં હોય જે
મુખ્ય બજાર હોય જે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોની ખૂબ જ મોટા પ્રમાણ
માં અવરજવર રહેતી હોય તેઓને મુશ્કેલી ન પડે તે માટે સાઈન બોર્ડ /બેરીકેટ
રાખવામાં આવે તેમજ તાજેતરમાં કમોસમી વરસાદ ના કારણે લોકોને ખૂબ જ
મુશ્કેલી નો સામનો કરવો પડેલ છે તે મુશ્કેલી આગામી ચોમાસા દરમ્યાન ન પડે
અને લોકોના જાન માલ ના રક્ષણ માટે સબંધિત તંત્ર ને સાવચેતી ના પગલાં
લેવા તાકીદ કરી તેમજ આવા બનાવો ભવિષ્ય મા લોકોને મુશ્કેલી ન પડે તેની
સપૂર્ણ તકેદારી રાખવા માટે જી યુ ડી સી તથા માર્ગ અને મકાન વિભાગ તથા
નગરપાલિકા ને જરૂરી વ્યવસ્થા કરવા કડક સૂચના આપવામાં આવેલ છે તેવુ સત્વ
અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments