અમરેલી

અમરેલી શહેરમાં ચક્કરગઢ રોડ પર આવેલ રેલવે ફાટક નં.૨૩ ખાતેથી પસાર થતા વાહનોનો રૂટ ડાયવર્ટ કરાયો

અમરેલી શહેરમાં ચક્કરગઢ રોડ પર આવેલ રેલવે ફાટક નં.૨૩ ખાતે રેલવે વિભાગ દ્વારા એલએચએસનું બાંધકામ હાથ ધરવામાં આવનાર હોવાથી અહીંથી પસાર થતાં વાહનોને હાયવર્ટ કરવા માટે વૈકલ્પિક રૂટનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ – ૩૩ (૧) (બી) હેઠળ મળેલી સત્તાની રૂએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામા મુજબ વૈકલ્પિક રૂટ-૧ અનુસાર ટુ-વ્હીલર તથા હળવા વાહનોએ ચક્કરગઢ રોડ ફાટક પાસે આવેલ રાધે પાન પાર્લર પાસેથી પસાર થતા રસ્તેથી પસાર થવાનું રહેશે.

વૈકલ્પિક રૂટ-૨ મુજબ ભારે વાહનો માટે સાવરકુંડલા ચોકડીથી બહારપરા થઈ ગાયત્રી મોક્ષધામ પાસેથી જેસીંગપરા રોડ પરથી પસાર થવાનું રહેશે.  આ જાહેરનામું તા.૧૮.૧૦. ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

Related Posts