સુપ્રીમ કોર્ટ હવે શિયાળાની રજાઓ બાદ કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ કેસની સુનાવણી કરશે. ઝ્રત્નૈં બેન્ચે આ વાત કહી છે. અગાઉ આજે જ અંતે સુનાવણી હાથ ધરાશે તેવી ચર્ચા હતી. આ રીતે આ મામલે જાન્યુઆરી ૨૦૨૫માં સુનાવણી થશે. માહિતી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું હતું કે આજે ઝ્રત્નૈં બેન્ચ પહેલા અન્ય કેસોની સુનાવણી કરશે અને અંતે આની સુનાવણી કરશે. તમને જણાવી દઈએ કે આજની સુનાવણી માટે બનાવેલી યાદીમાં આ કેસ માટે માત્ર બપોરે ૨ વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. ઝ્રત્નૈં સંજીવ ખન્નાએ આ મામલે કહ્યું છે કે અલ્હાબાદ હાઈકોર્ટ પાસે મૂળ અધિકારક્ષેત્ર નથી, તેથી હાઈકોર્ટમાં ટ્રાન્સફર અસાધારણ અધિકારક્ષેત્ર હેઠળ હશે.
સુપ્રીમ કોર્ટ આવતા વર્ષે કૃષ્ણ જન્મભૂમિ-શાહી મસ્જિદ ઇદગાહ કેસની સુનાવણી કરશે

Recent Comments