ભાવનગર

દર્શનીય દેશાટન ખાખરીયા થી દ્વારકા ની અનોખી પદયાત્રા ૨૬ વર્ષ પહેલાં ગણ્યા ગાઠીયા ભાવિકો થી પ્રારંભાયેલ આજે મોટો સંધ બની ગયો

પાલીતાણા તાલુકા નુ (કુભણ ) ખાખરીયા ગામ આજ થી ૨૬ વર્ષ પહેલાં માત્ર આંગળી ના વેઢે ગણી શકાય એટલા શ્રધ્ધાળુ ભાવિકો એ શરૂ કરેલ ખાખરીયા થી દ્વારકા જતી પદયાત્રા આજે વિશાળ સંધ બની ગયો 

સામાજિક સંવાદિતા અને એકયતા નો સંદેશ આપતો આ સંધ સંધ પતિ ભીખાભાઈ પાલડીયા અને દામનગર ગોવિદભાઈ ના નેતૃત્વ માં ધુળેટી એ પ્રારંભ થઇ ૧૫ દિવસે ભગવાન શ્રી દ્વારકાધીશ સમક્ષ પહોંચે છે પાલીતાણા તાલુકા માંથી પ્રસ્થાન થતી પદયાત્રા જેમજેમ આગળ વધતી જાય તેમ તેમ શ્રધ્ધાળુ ભાવિકો જોડતા જાય ૧૯૯૯ થી પ્રારંભયેલી પદયાત્રા ૩૭૫ જેટલા ભાવિકો ૫૫૦ કિમિ ચાલી ને દ્વારકાધીશ ના દર્શને પહોંચે છે આ પદયાત્રા માં યુવાનો બહેનો અને વડીલો ભગવાન શ્રીદ્વારકાધીશ ના દર્શને ૪૪ ડીગ્રી ધોમધખતા તાપમાન મા ચાલી ને દર્શને જઈ રહ્યા છે આ પદયાત્રા દરમ્યાન અનેક વિશેષતા ઓ છે સંધ પતિ નો આદેશ એટલે સર્વોપરી કોઈ પણ નું સૌજન્ય સ્વીકારવું નહિ ભોજન પ્રસાદ પોતા ની જાતે દેખરેખ હેઠળ સંધ દ્વારા તૈયાર કરી આરોગવા થાક્યા પાક્યા પદયાત્રી ઓની સેવા કરવી કોઈપણ પ્રકાર ના વ્યસન નો ત્યાગ કરવો પદયાત્રા દરમ્યાન પ્રકૃતિ માં ઈશ્વર દર્શન નો આગ્રહ રાહદારી ઓને અડચણ રૂપ ન બનવું સ્વંયમ શિસ્ત સાથે સમગ્ર પંથક માં સુવિખ્યાત ખાખરીયા થી દ્વારકાધીશ ની પદયાત્રા માં સામેલ થવું ગૌરવ ની વાત છે ઉત્તમ સંકલ્પ અને પ્રકૃતિ પ્રત્યે નિયમ પાલન ની પ્રતિજ્ઞા વ્યસન મુક્તિ જીવન નો સંદેશ આપતી પદયાત્રા માત્ર આંગળી ના વેઢે ગણી શકાય એટલે વ્યક્તિ વચ્ચે શરૂ થયેલ ખાખરીયા થી ભગવાન દ્વારકાધીશ દર્શને જતી પદયાત્રા ૨૬ વર્ષે વિશાળ મહાસંધ બની ગયો સંપ જ્યાં જંપ અદભુત એકતા કુટુંબ ભાવના ભાતૃભાવ માટે મિશાલ રૂપ બની પદયાત્રા માં ક્યારેય ઓટ આવતી નથી  

Related Posts