ગુજરાત

આ ઉપગ્રહ પૃથ્વીની સપાટી પર થતા નાનામાં નાના ફેરફારોને શોધી કાઢશે, હવે ભૂકંપ-સુનામીની મળશે વહેલી ચેતવણી

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી દ્ગછજીછ અને ૈંજીઇર્ં ના સંયુક્ત પ્રોજેક્ટ દ્ગૈંજીછઇ (દ્ગછજીછ-ૈંજીઇર્ં સિન્થેટિક એપર્ચર રડાર) ઉપગ્રહનું સફળતાપૂર્વક લોન્ચિંગ થયું. આ ઉપગ્રહ પૃથ્વીની સપાટી પર થતા નાનામાં નાના (માત્ર ૧ સેન્ટિમીટર) ફેરફારોને પણ શોધી કાઢવા સક્ષમ છે. બુધવારે સાંજે ૫.૪૦ વાગ્યે નિસાર (નાસા-ઇસરો સિન્થેટિક એપરચર રડાર)ને જીએસએલવી-એસ૧૬ રોકેટ મારફત લોન્ચ કર્યું છે.
જીએસએલવી રોકેટ લગભગ ૧૯ મિનિટની યાત્રા બાદ ઉપગ્રહને ૭૪૫ કિમીની ઊંચાઈએ સૂર્યની સ્થિર ધ્રુવીય કક્ષા (સન-સિંક્રોનસ ઓર્બિટ)માં સ્થાપિત કરશે. આ એવી કક્ષા છે, જ્યાં ઉપગ્રહ પૃથ્વીના ધ્રુવોની ઉપરથી પસાર થાય છે, અને દરેક વખતે એક વિશેષ સ્થાનથી પસાર થાય છે, જાે કે, દરેક સ્થિતિમાં સૂર્ય પ્રકાશની સ્થિતિ એક જેવી જ રહે છે. કાવુલરૂએ મિશન વિશે જણાવ્યું હતું કે, નાસાએ નિસાર માટે એલ-બેન્ડ ઉપલબ્ધ કરાવ્યું છે, જ્યારે ઈસરો સિન્થેટિક એપરચર રડાર માટે એસ-બેન્ડ પુરૂ પાડ્યું હતું. જેનાથી મોટી સંખ્યામાં ડેટા એકત્રિત કરવાનું સંભવ બનશે. આ ઉપગ્રહ એન્ટાકર્ટિકા, ઉત્તરીય ધ્રુવ, અને મહાસાગરો સ્થિત પૃથ્વી પાસેથી સંબંધિત વ્યાપક ડેટા પ્રસારિત કરશે.
દ્ગૈંજીછઇ, એટલે કે દ્ગછજીછ-ૈંજીઇર્ં સિન્થેટિક એપર્ચર રડાર, એક અત્યંત ખાસ ઉપગ્રહ છે જે ભારતના ૈંજીઇર્ં અને અમેરિકાના દ્ગછજીછ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યો છે. તેનો પ્રાથમિક હેતુ પૃથ્વીની સપાટીનું અત્યંત નજીકથી નિરીક્ષણ કરવાનો છે, જેથી આપણી પૃથ્વી પર થઈ રહેલી જટિલ પ્રક્રિયાઓને વધુ સારી રીતે સમજી શકાય. આ ઉપગ્રહ જંગલોમાં થતા ફેરફારો, બરફની ચાદરનું તૂટવું, સમુદ્રના સ્તરમાં વધારો, ભૂગર્ભજળનું સ્તર ઘટવું અને ભૂકંપ, સુનામી, ભૂસ્ખલન જેવી કુદરતી આફતો પર સતત નજર રાખશે.
ઇસરો અનુસાર, નાસા-ઇસરો સિન્થેટિક એપરચર રડાર (દ્ગૈંજીછઇ) ઉપગ્રહનું પ્રક્ષેપણ બંને અવકાશ એજન્સીઓ વચ્ચેના એક દાયકાથી વધુ લાંબા સહયોગમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ઇસરોએ જણાવ્યું હતું કે આ ઉપગ્રહ દર ૧૨ દિવસે આખી પૃથ્વીનું સ્કેન કરશે અને હવામાનની તમામ પરિસ્થિતિઓમાં દિવસ અને રાત હાઈ-રિઝોલ્યુશન ડેટા પ્રદાન કરશે. ઉપગ્રહ પૃથ્વીની સપાટી પર થતા અત્યંત સૂક્ષ્મ ફેરફારોને ઓળખી શકશે, જેમ કે વનસ્પતિમાં ફેરફાર, હિમનું પીગળવું અને જમીનનું ડિફોર્મેશન.ઇસરોએ જણાવ્યું હતું કે આ મિશન સમુદ્ર સ્તરનું નિરીક્ષણ, જહાજાે શોધવા, તોફાનોનું નિરીક્ષણ, માટીના ભેજમાં ફેરફાર, સપાટીના જળ સંસાધનોનું મેપિંગ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં મદદ કરશે. આ ઉપગ્રહ ભૂકંપ અથવા બરફ પીગળવાની સ્થિતિ જેવા અનેક ફેરફારો, તેમજ જમીનમાં થતી નાની તિરાડો પણ શોધી કાઢશે.
કાવુલુરૂએ જણાવ્યું હતું કે, નિસાર સમગ્ર પૃથ્વીનો સંપૂર્ણ ડેટા એકત્રિત કરશે. જેનો ઉપયોગ કોમર્શિયલ અને વૈજ્ઞાનિક ઉદ્દેશો માટે થશે. ઈસરો આ ડેટાને પ્રોસેસ કરશે અને તેમાંથી મોટા ભાગના ડેટાને ઓપન-સોર્સ તરીકે ઉપલબ્ધ કરાવશે. જેથી વિશ્વભરના યુઝર્સને તેની સરળતાથી ઍક્સેસ કરી શકશે. આનાથી આપણે હિમાલય અને એન્ટાર્કટિકા જેવા પ્રદેશોમાં જંગલોમાં ફેરફાર, પર્વતોની સ્થિતિ અથવા સ્થાનમાં ફેરફાર અને હિમનદીઓની હિલચાલ સહિત મોસમી ફેરફારોનું નિરીક્ષણ કરી શકીશું. દરેક દેશ પર નજર રાખી શકાશે.
મિશન દ્ગૈંજીછઇ ની અદ્યતન વિશેષતાઓ
ભારત અને અમેરિકાની અવકાશ એજન્સીઓ ૈંજીઇર્ં અને દ્ગછજીછ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલ દ્ગૈંજીછઇ મિશન તેના પ્રકારનું પ્રથમ ઉપગ્રહ મિશન છે. આ ઉપગ્રહ અદ્યતન જીુીીॅજીછઇ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જે ઉચ્ચ રીઝોલ્યુશન સાથે વિશાળ વિસ્તારની તસવીરો લેવામાં સક્ષમ છે. દ્ગૈંજીછઇ ને શ્રીહરિકોટાથી ય્જીન્ફ રોકેટ દ્વારા સૂર્ય-સમન્વયિત ધ્રુવીય ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવ્યું હતું, જે આ ભ્રમણકક્ષામાં ય્જીન્ફ નું પ્રથમ મિશન છે.
પ્રથમ ૯૦ દિવસ ઉપગ્રહના કમિશનિંગ વિતાવશે
લોન્ચ પછીના પ્રથમ ૯૦ દિવસ ઉપગ્રહના કમિશનિંગ અથવા ઇન-ઓર્બિટ ચેકઆઉટ (ૈર્ંંઝ્ર) માં વિતાવશે. આ ઉપગ્રહ પૃથ્વીની જમીન અને બરફની ૩ડ્ઢ છબીઓ પ્રદાન કરશે, જે વૈજ્ઞાનિકોને ભૂકંપ, ભૂસ્ખલન, દરિયાઈ બરફ અને હિમનદીઓનું નિરીક્ષણ, પાક વ્યવસ્થાપન અને આપત્તિ ચેતવણી પ્રણાલીઓમાં ખૂબ મદદ કરશે. આ ઉપગ્રહ કુદરતી અને માનવસર્જિત જાેખમોનો સામનો કરવા માટે નીતિઓ અને યોજનાઓ બનાવવામાં સરકારોને મદદ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દ્ગૈંજીછઇ એ દ્ગછજીછ અને ૈંજીઇર્ં દ્વારા અત્યાર સુધી લોન્ચ કરાયેલ સૌથી અદ્યતન રડાર સિસ્ટમ છે, જે દૈનિક

Related Posts