નાળિયેરી વાવેતર કરવા ઇચ્છતા ખેડૂત મિત્રોએ બાગાયત ખાતા હસ્તકની નાળિયેરી વાવેતર માટેની સહાય મેળવા માટે તા.૦૧/૧૨/૨૦૨૪ થી તા.૧૫/૧૨/૨૦૨૪ દરમિયાન આઇ-ખેડૂત પોર્ટલ (I-khedut Portal) પર ઓનલાઇન અરજી કરી શકાશે. બાગાયત ખાતા દ્વારા ખેડૂતોને નાળિયેરી વાવેતર માટે હેક્ટર દિઠ રૂ.૩૭૫૦૦/- અથવા ખર્ચના ૫૦% મુજબ સહાય આપવામાં આવે છે. ફળ રોપા ઉછેર કેન્દ્ર નર્સરી-મહુવા ખાતે દેશી (WCT) નાળિયેરીના સારી ગુણવત્તા યુક્ત રોપા રૂ. ૭૦/-પ્રતિ રોપાના ભાવે મળી રહેશે. રોપા મેળવવા મો. નં. ૯૫૪૯૯૨૮૩૬૧ પર સંપર્ક કરવા બાગાયત અધિકારી ફળ નર્સરી મહુવાની યાદીમાં જણાવાયું છે.
બાગાયત ખાતાની નાળિયેરી વાવેતર માટેની સહાય મેળવવા તા. ૦૧ થી તા.૧૫ ડિસેમ્બર સુધી આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે


















Recent Comments