અમરેલી

આજથી દિવાળી પર્વની શૃંખલાની શુભ શરૂઆત

બસ આજે અગિયારશ અને વાક્ બારશનો અદભૂત સમન્વય. આજથી ઘરના દ્વારે દીપ પ્રગટાવીને તથા રંગોળી દોરીને જીવનની મંગલ કામનાઓ કરવાનો અવસર એટલે ખરા અર્થમાં આજથી દિવાળી પર્વની શૃંખલાની શુભ શરૂઆત

જો કે હજુ સુધી બઝારમાં જોઈએ તેટલી ખરીદીનો માહોલ જામ્યો નથી. આજ સાંજથી ચિત્ર થોડું બદવાય એ અપેક્ષા

કમોસમી વરસાદની આશંકા વચ્ચે આજરોજ આકાશ સ્વચ્છ જોવા મળ્યું એ દિવાળી પર્વ માટે પ્લસ પોઈન્ટ ગણાય. આમ પણ આજરોજ નવું પ્રધાનમંડળ રચાયું અમરેલીને ફાળે જોઈએ તેટલી અને તેવું સ્થાન તો નથી મળ્યું ફક્ત એક કૌશિકભાઈ વેકરીયાની નિયુક્તિથી સંતોષ માનવો રહ્યો.

Related Posts