· આખરી મતદાર યાદીમાં કુલ ૪,૪૦,૩૦,૭૨૫ મતદારો, જેમાંથી ૬૮,૧૨,૭૧૧ મતદારો ઓછા થયા : શ્રી અમિત ચાવડા
· કોંગ્રેસ વારંવાર કહેતી હતી કે નવસારી લોકસભા મોડેલ મુજબ ગુજરાતમાં ૬૨ લાખ ખોટા મતદારો હોવા જોઈએ, એસ.આઈ.આર.માં ૬૮ લાખથી વધુ મતદારો ખોટા નીકળ્યા : શ્રી અમિત ચાવડા
· કુલ ૯.૫૬ લાખ નવા મતદારો ઉમેરાયા તેની બુથ વાઈઝ વિગત પબ્લિક ડોમેઈનમાં જાહેર કરો : શ્રી અમિત ચાવડા
· કુલ ૩.૯૫ લાખથી વધુ મતદારો રદ કરવામાં આવ્યા, કયા કારણે – કયા બુથમાંથી કેટલા મતદાર રદ કરવામાં આવ્યા છે તેની વિગતો જાહેર કરો : અમિત ચાવડા
· ખોટા ફોર્મ ૭ ભરનાર સામે ફોજદારી કાર્યવાહી કરો, એફ.આઈ.આર. નોંધો અને તેમની વિગતો જાહેર કરો : શ્રી અમિત ચાવડા
· ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગત સામે જનતા અને કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા ઉપર ઉતરી મતના અધિકારની રક્ષા કરી : શ્રી અમિત ચાવડા
· એકપણ સાચા મતદારનો મતનો અધિકાર છીનવવા નહિ દે : અમિત ચાવડા
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યુ હતુ કે ચૂંટણી પંચ સ્વાયત્ત બંધારણીય સંસ્થા છે જેની જવાબદારી એક પણ નાગરિકનો મતનો અધિકાર છીનવાય નહીં તે ધ્યાન રાખવાની છે. સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન (SIR) ની કામગીરી ૨૭ ઓક્ટોબર ૨૦૨૫થી શરૂ થઈ હતી. બી.એલ.ઓ. દ્વારા ઘર ઘર જઈને મતદાર સુધારણાની કામગીરી કરવામાં આવી હતી. ખુબજ માનસિક દબાણ હેઠળ એસ.આઈ.આર. ની કામગીરીમાં કેટલાક બી.એલ.ઓ.એ જીવ ગુમાવ્યા અને માનસિક ત્રાસ હેઠળ આપઘાતનો કરૂણ કિસ્સો સામે આવ્યો હતો. એસ. આઈ. આર.ની ડ્રાફ્ટ યાદીમાં ૭૪ લાખ મતદારો રદ્દ કરવામાં આવ્યા હતા. SIR ની પ્રક્રિયાની છેલ્લી પ્રસિદ્ધ યાદીમાં કુલ ૪,૪૦,૩૦,૭૨૫ મતદારોના નામો રહ્યા છે. જૂની મતદાર યાદી મુજબ ૬૮,૧૨,૭૧૧ મતદારો ઓછા થયા છે. વારંવાર અનેક વખતે લોકસભા વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરીના મુદ્દા ને ઉજાગર કરવામાં આવ્યા હતા તેમ ગુજરાત કોંગ્રેસ દ્વારા નવસારી લોકસભાની વોટ ચોરી ના ઉદાહરણ આપી ગુજરાતમાં ૧૨% થી વધુ એટલે ૬૨ લાખ જેટલા મતદારો શંકાસ્પદ હોય તેવો દાવો કર્યો હતો. જયારે આખરી મતદાર યાદીમાં અમારી વાત સાચી સાબિત થઇ ૬૦ લાખથી વધું ખોટા મતદારો રદ કરવા પડ્યા હતા.
છેલ્લી મતદાર યાદી મુજબ ૯.૫૬ લાખ નવા મતદારોનો ઉમેરો જાહેર કર્યો છે. જયારે ૩,૯૫,૫૫૫ મતદારોના નામ કમી કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચ બુથ વાઈઝ જાહેર કરે કે ૯.૫૬ લાખ મતદારો કયા બુથમાં કેટલા ઉમેરાયા તેની યાદી પબ્લિક ડોમેઈનમાં મુકવામાં આવે. વધુમાં ૩.૯૫ લાખથી વધુ મતોને રદ કરવામાં આવ્યા છે તેની બુથ વાઈઝ માહિતી જાહેર કરવામાં આવે અને પબ્લિક ડોમેઈનમાં મુકવામાં આવે.
ખોટા મતદારના ફોર્મ ૭ માટે ચૂંટણી પંચ દ્વારા ૧૮ જાન્યુઆરી સુધીની તારીખ આપવામાં આવી હતી. ચૂંટણીપંચ પાસે ૧૫ જાન્યુઆરી સુધી નહિવત ફોર્મ ૭ આવ્યા હતા. અચાનક રાતોરાત જાદુ નથી થયો, સુનિયોજિત ષડયંત્ર હેઠળ લાખો સાચા મતદારોના મત અધિકારને છીનવવાનો પ્રયાસ થયો છે. ચૂંટણી પંચ દ્વારા સહુ પ્રથમ ૧૨,૫૯,૨૨૯ ફોર્મ ૭ના વાંધા આવ્યાની વાત કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરો પાસે લાખોની સંખ્યામાં ફોર્મ ૭ કેવી રીતે આવ્યા તે સવાલ છે? લાખોની સંખ્યામાં કમલમ કાર્યાલયએ પ્રિન્ટેડ ફોર્મ ૭ કયા અધિકારીઓની સહીથી પહોચ્યા હતા? થપ્પાબંધ ફોર્મ ૭ કોણે ચૂંટણી પંચમાં જમા કરાવ્યા તેની વિગત આપવા અને તેના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા માંગ કરી હતી. એક પણ સાચા મતદારોનું નામ કોંગ્રેસ રદ્દ થવા નહીં દે. કાયદા અને ભારત ન્યાય સંહિતા મુજબ ખોટા ફોર્મ ૭ ભરવા તે ફોજદારી ગુનો બને છે ત્યારે કમલમ કાર્યાલયના આદેશથી જે વ્યક્તિઓએ દ્વારા સુનિયોજિત ષડયંત્રના ગુનેગારો સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગત સામે જનતા અને કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા ઉપર ઉતરી મતના અધિકારની રક્ષા કરી હતી.


















Recent Comments