ગુજરાત

કચ્છમાં દોલતપર-દયાપર પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત

દોલતપર-દયાપર માર્ગ પર એક ટ્રક અને બાઇક વચ્ચે એક અકસ્માત સર્જાતા બે વ્યક્તિના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતની ઘટનાને પગલે પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળો આવી પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માત અંગે મીડિયા સૂત્રો થકી મળતી માહિતી મુજબ, કચ્છના લખપતના દયાપર પાસે ગંભીર અકસ્માતની ઘટના બની છે. જેમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતની આ ઘટનામાં બાઈક ચાલક સહિત બેના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. લખપતના દયાપર પાસે અકસ્માતના બનાવને પગલે પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts