અમરેલી

e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં બે ઇસમોને ચોરીના મોબાઇલફોન સાથે પકડી પાડી, બે અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતીઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ
કરવા પોલીસ સ્‍ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટેસીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્‍ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અન્‍વયે પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય
પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓેએ સરકારશ્રીની આયોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલકરવામાં આવતી e-FIR અન્‍વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગરરન્‍જના જિલ્લાઓમા e-FIR દ્વારા દાખલ થયેલ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી
જિલ્‍લામા e-FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી, નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે, તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી જિલ્‍લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપેલ.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી વી. એમ. કોલાદરા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને બાતમી હકિકત
તેમજ ટેકનીકલ સોર્સ આધારે અલગ અલગ જગ્યાએથી બે ઇસમોને ચોરીના મોબાઇલ
ફોન સાથે પકડી પાડી, સાવરકુંડલા ટાઉન તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં
દાખલ થયેલ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ
છે.
 ડીટેકટ કરવામાં આવેલ ગુનાઓની વિગતઃ-
(૧) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૨૨૪૦૪૮૩/૨૦૨૪ BNS
કલમ ૩૦૩(૨).

(૨) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩૨૫૦૦૬૧/૨૦૨૫ BNS
કલમ ૩૦૩(૨).
 પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) કાર્તિક હેમાંશુભાઇ જોષી, ઉ.વ.૨૬, રહે.સાવરકુંડલા, શિવાજીનગર,
તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
(૨) મનસુખભાઇ ભીખાભાઇ રાઠોડ, ઉ.વ.૪૮, રહે.ગાધકડા, તા.સાવરકુંડલા,
જિ.અમરેલી.
 રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) એક વીવો કંપનીનો Y75 મોડલનો એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૧૮,૬૩૫/-
(૨) એક વીવો કંપનીનો 23E મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૨૬,૦૧૯/-
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા, તુષારભાઇ પાંચાણી તથા પો. કોન્‍સ. ભાવિનગીરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts