ઉમરાળા તાલુકા કક્ષાનો નવેમ્બર – ૨૦૨૫ નો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ આગામી તા. ૨૬/૧૧/૨૦૨૫ (બુધવાર)
ના રોજ સવારે ૧૧ કલાકે મામલતદા૨ કચેરી, ઉમરાળા ખાતે યોજવામાં આવના૨ છે. જેમાં ગ્રામ્ય અને તાલુકા
કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.
અરજદાર પાસેથી પ્રશ્નો રજૂ કરવા માટે તા.૧૦/૧૧/૨૦૨૫ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવેલ
છે. પ્રશ્નો રજૂ કરવા માટે જે-તે અરજદારે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે મામલતદારશ્રી,
ઉમરાળાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે.
આ કાર્યક્રમમાં જે પ્રશ્નો અંગે કોર્ટકેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહીં તેમજ અરજદારે જાતે રૂબરૂ
હજાર રહી એક જ વિષયને લગતી રજૂઆત કરવાની રહેશે. સામૂહિક રજૂઆત કરી શકાશે નહીં તેમ ઉમરાળા
મામલતદારશ્રી ની યાદીમાં જણાવેલ છે.
ઉમરાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૬ નવેમ્બરના રોજ યોજાશે



















Recent Comments