રાષ્ટ્રીય

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો ર્નિણય લીધો

પાકિસ્તાન સાથે જાેડાયેલા તમામ વિઝા રદ, તમામ રાજ્યોને તાત્કાલિક ધોરણે પોતાને ત્યાં રહેતાં પાકિસ્તાનીઓને તેમના વતન મોકલવા આદેશ: ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરી આદેશ નું કડક પાલન કરવા જણાવ્યું

જમ્મુ-કાશ્મીરના પહેલગામ થયેલ પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ગૃહ મંત્રાલયે એક મોટો ર્નિણય લીધો છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાન સાથે જાેડાયેલા તમામ વિઝા રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સંદર્ભે ગૃહમંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. તમામ રાજ્યોને તાત્કાલિક ધોરણે પોતાને ત્યાં રહેતાં પાકિસ્તાનીઓને તેમના વતન મોકલવા આદેશ આપવા કહ્યું છે.
આંતકવાદીઓ દ્વારા પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર હુમલા ના કારણે મોત બદલ ભારત આતંકવાદને સમર્થન અને શરણ આપતાં પાકિસ્તાન વિરુદ્ધ સતત કડક પગલાં લઈ રહ્યું છે. સિંધુ જળ સંધિ સ્થગિત કરવા ઉપરાંત પાકિસ્તાનીઓને ૨૭ એપ્રિલ સુધી ભારત ખાલી કરવા આદેશ આપ્યો છે. તમામ રાજ્યોની સરકારને પાકિસ્તાનીઓની ઓળખ કરી તેમના વિઝા રદ કરવા અને પાછા મોકલવા આદેશ આપવામાં આવ્યો છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા ર્નિણયો લેવામાં આવ્યા છે. જેમાં ૬૫ વર્ષ જૂનો સિંધુ જળ કરાર સ્થગિત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ કરાર હેઠળ પાકિસ્તાનના ૨૪ કરોડથી વધુ વસ્તીને પાણી મળે છે. વધુમાં પાકિસ્તાનના હાઇકમિશનની સંખ્યા ઘટાડવા તેમજ ભારતમાં રહેતાં પાકિસ્તાનીઓને તુરંત વતન પરત ફરવા આદેશ આપવામાં આવ્યો છે.
આ સાથેજ અટારી-વાઘા બોર્ડર પણ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી છે. પાકિસ્તાની નાગરિકોને આ માર્ગે પરત ફરવા માટે એક મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. ભારતમાં પાકિસ્તાની હાઇકમિશનમાં તૈનાત કર્મચારીઓની સંખ્યા ૫૫થી ઘટાડી ૩૦ કરવામાં આવી છે. આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના જૂથ ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા મંગળવારે ૨૨ એપ્રિલે કાશ્મીરના પહલગામમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૨૬ નિર્દોષ લોકો માર્યા હતા અને ૧૭ લોકો ઘાયલ થયા હતા.

Related Posts