મહેસાણામાં દૂધ સાગર ડેરીના વાઈસ ચેરમેનને લાફો મારવાના આક્ષેપથી આ પ્રકરણ ગરમાયું છે. જેમાં“લાફા કાંડ” મામલે ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સત્તા પરિવર્તન થયા પછી ડેરીનો વિકાસ થયો હોવાનું ચેરમેને જણાવ્યું હતું.વધુમાં ચેરમેને કહ્યું હતું કે પારદર્શકતા સાથે વહીવટ કરવામાં આવી રહ્યો છે.
આશરે છેલ્લા ૪.૫ વર્ષથી ડેરીનો સુલભ અને કુશળ વહીવટ ચાલતો હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે મારા પર કરાયેલા આક્ષેપ તદ્દન પાયાવિહોણા હોવાનું પણ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે વાઈસ ચેરમેન જે પ્રશ્નો લઈને આવ્યા હતા તેનો જવાબ આપ્યો છે. બીજીતરફ બોર્ડ મિટિંગ પેહલા જ વાઈસ ચેરમેને ઝઘડાની આગાહી કરી હતી. જેમાં ડિરેકટરો પોતે આજે ઝગડો કરવાના છે તેવું કહ્યું હતું.
યોગેશ પટેલે ઉગ્ર બની અસભ્ય વર્તન કર્યું હોવાનું વાઈસ ચેરમેને કહ્યું હતું. અમે તેમને સમજાવ્યા, પરંતુ તે જાતે બોર્ડ રૂમમાંથી ચાલ્યા ગયા હતા. લાફો મારવાનો આક્ષેપ પણ પાયા વિહોણો હોવાનું ચેરમેને કહ્યું હતું. તે વાતાવરણ ડોહળવા જ આવ્યા હતા, એમ ચેરમેને વધુમાં ઉમેર્યું હતું.
મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ ઘટના બાદ વાઈસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. ત્યાં તેમણે સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. આ મામલાની પોલીસે તપાસ કરવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે, ભાજપના મેન્ડેટથી જ આ બંને ઉમેદવાર ચેરમેન અને વાઈસ ચેરમેન બન્યા છે.
મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડ બેઠકમાં હોબાળો, ચેરમેન અશોક ચૌધરીએ વાઈસ ચેરમેનને લાફો માર્યો

Recent Comments