ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની જોગવાઇઓ અનુસાર જાહેર નોટિસ મુજબ અમરેલી શહેર હદ વિસ્તારમાં આવેલી તમામ સરકારી, અર્ધ સરકારી, બિન સરકારી, ખાનગી, સ્લમ તથા અન્ય તમામ ક્વાર્ટસ તથા મકાન ઇમારતમાં રહેતા કે ઉપયોગ કરતા કે હિત ધરાવતા તમામ વ્યક્તિઓ કે સમૂહોએ ભયજનક કે જર્જરિત મકાનો ઉતારવાના રહેશે. આ ઉપરાંત બાકીના ભાગને સુરક્ષિત કરવાની કાર્યવાહી કાયદાને આધીન કરવાની રહેશે.
અન્યથા મકાન કે તેનો ભયજનક ભાગ પડી જવાથી તે મિલ્કત કે આસપાસની મિલ્કતને કે જાનમાલને નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આવા મકાન કે ઈમારતનાં માલિક, કબ્જેદાર, હિત ધરાવતા તમામ વ્યક્તિઓની રહેશે, આ બાબત ગંભીર હોય તેની નોંધ લેવી.
ભયજનક કે જર્જરિત જણાતા મકાનની આસપાસ અવર જવર કરવી નહિ તથા આજુબાજુના મકાન ઉપયોગકર્તાઓએ સાવચેતીના ભાગરુપે પૂરતી કાળજી રાખવી તેમ અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
Recent Comments