એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટનું સ્વીડનની રાજધાની સ્ટોકહોમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી. આ પાછળ ટેક્નિકલ ખામીને કારણભૂત ગણાવવામાં આવી રહી છે. વિમાનમાં સવાર તમામ ૩૦૦ મુસાફરો હાલ સુરક્ષિત હોવાનું કહેવાય છે. સ્ટોકહોમ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફાયરના વાહનોને તૈનાત કરવામાં આવ્યા હતા. કારણ કે ફ્લાઈટે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.
આ પહેલીવાર નથી બન્યું કે જ્યારે ન્યૂયોર્કથી દિલ્હી આવતી ફ્લાઈટનું કોઈ અન્ય દેશમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. બે દિવસ પહેલા જ ન્યૂયોર્કથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીના કારણે લંડનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. તેમ સમયે વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરાઈ ત્યારે તે વિમાન નોર્વેજિયન એરસ્પેસની ઉપર હહતું.
એર ઈન્ડિયાના તે વિમાનમાં પણ ૩૫૦ મુસાફરો હતા. આ ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી માટે નોન સ્ટોપ ફ્લાઈટ હતી. ગત રવિવારે દુબઈથી તિરુવનંતપુરમ આવી રહેલા એર ઈન્ડિયાના એક વિમાન (આઈએક્સ ૫૪૦) ના નોઝ વ્હીલમાં ટેક્નિકલ ખામી આવ્યા બાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. જાે કે વિમાનમાં સવાર તમામ ૧૫૬ મુસાફરો સુરક્ષિત હતા. પાઈલટે ઈમરજન્સી લેન્ડિંગ માટે એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક કરીને અપીલ કરી હતી. ત્યારબાદ એર ઈન્ડિયાના વિમાને સવારે ૫.૪૦ વાગે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.
Recent Comments