રાષ્ટ્રીય

ઉત્તરાખંડના નૈનિતાલમાં ૧૨ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ તોડફોડ અને પથ્થરમારાની ઘટના

ઉત્તરાખંડના નૈનિતાલમાંથી એક ચોંકાવનારી ઘટના બની હતી જેના કારણે આખા દેશમાં લોકોના મનમાં દુ:ખની લાગણી જાેવા મળી હતી. આ ઘટના ની વાત કરી એ તો નૈનિતાલમાં ૧૨ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં ૭૬ વર્ષીય ઉસ્માન લાંબા નામ ના વ્યક્તિ પર આરોપ છે કે, તેના દ્વારા લાંબા સમય સુધી નાની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું હતું. આ ઘટના બાદ શહેરમાં ભારે હોબાળો મચી ગયો હતો. મધ્યરાત્રિએ તોડફોડ અને પથ્થરમારા બાદ ગુરુવારે પણ તણાવની સ્થિતિ છે.
શહેરની મોટાભાગની શાળાઓ, કોલેજાે અને બજારો બંધ છે. પોલીસનો ભારે બંદોબસ્ત દેખાઈ રહ્યો છે. હિન્દુ સંગઠનો અને વકીલોએ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે સરઘસ કાઢ્યું હતું.
આ ઘટનામાં બુધવારે મોડી રાત્રે, ઉસ્માન નામના વ્યક્તિ પર કિશોરી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ મામલાની માહિતી મળતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. ગુસ્સે ભરાયેલા ટોળાએ કેટલીક દુકાનોમાં તોડફોડ શરૂ કરી દીધી અને લોકો પર હુમલો કર્યો. મલ્લીતાલ વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકોએ મસ્જિદ પર પથ્થરમારો કર્યો. મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હળવો બળપ્રયોગ કરીને ભીડને કાબુમાં લીધી હતી.
આ દુષ્કર્મની ઘટનાનો વિરોધ કરનારાઓએ ગુરુવારે બજાર બંધ રાખવાનું એલાન કર્યું હતું. સવારથી જ પોલીસ સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે ડ્ઢજીમ્ કેમ્પસ સહિત ઘણી શાળાઓને પણ બંધ રાખવામાં આવી છે. પોલીસે તોડફોડ અને પથ્થરમારો કરનારાઓ પર લાઠીચાર્જ કર્યો.

Related Posts