અમરેલી

વાત્સલ્ય મૂર્તિ સ્વ ફૂલીબા ગોબરભાઈ માલવીયા પરિવાર ના સહયોગ થી નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

દામનગર શક્તિ પીઠ ગાયત્રી મંદિર પરિસર માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા નેત્રયજ્ઞ એવમ ગુજરાત સરકાર ના હોમિયોપેથીક અને આર્યુવેદીક  વિભાગ ગાંધીનગર ના અમરેલી જિલ્લા પંચાયત દવાખાના ના ડો મનીષભાઈ જેઠવા દ્વારાસર્વરોગ નિદાન કેમ્પ વાત્સલ્ય મૂર્તિ સ્વ ફૂલીબા ગોબરભાઈ માલવીયા ની સ્મૃતિ માં માલવીયા પરિવાર ના આર્થિક સહયોગ થી યોજાયો હતો આ નેત્રયજ્ઞ આંખ ના રોગ ની તપાસ સારવાર અને મોતીયા ના દર્દી ઓને સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ દર્દી ઓને રાજકોટ લઈ જવા લાવવા રહેવા જમવા ચશ્માં દવા ટીપાં ની ફ્રી સેવા આપનાર છે ગાયત્રી મંદિર પરિસર માં યોજાયેલ નેત્રયજ્ઞ એવન સર્વરોગ નિદાન કેમ્પ માં સ્વ ફૂલીબા ગોબરભાઈ માલવીયા પરિવાર ના પુત્ર રત્નો દિનેશભાઇ માલવીયા ભુપતભાઇ માલવીયા અરવિંદભાઈ માલવીયા કિશોરભાઈ માલવીયા સંજયભાઈ માલવીયા રઘુભાઈ માલવીયા રવજીભાઈ માલવીયા અને સ્વ નારણભાઇ માલવીયા પરિવારે દીપ પ્રાગટય કરી સેવા યજ્ઞ નો પ્રારંભ કરાયો હતો આ સેવા યજ્ઞ માં દેવચંદભાઈ આલગિયા ભરતભાઇ ભટ્ટ ભીમજીભાઈ વાવડીયા મહેશભાઈ પંડયા જયુભાઈ જોશી દિલીપભાઈ પરમાર ધીરભાઈ રાજપૂત સહિત ના સ્વંયમ સેવકો એ સેવા આપી હતી

Related Posts