રાષ્ટ્રીય

ઉપરાષ્ટ્રપતિ ૨૫ એપ્રિલથી તમિલનાડુની ત્રણ દિવસની મુલાકાત લેશે

ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર અને ડૉ. સુદેશ ધનખર તમિલનાડુની ત્રણ દિવસની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ ૨૫ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ઊટીમાં કુલપતિઓના વાર્ષિક સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે.
૨૬ એપ્રિલ, ૨૦૨૫ના રોજ, શ્રી ધનખર ઊટીમાં મુથાનાદ મુંડ ટોડા મંદિરની મુલાકાત લેશે.
ત્યારબાદ, તેઓ રવિવાર, ૨૭ એપ્રિલ, ૨૦૨૫ના રોજ કોઈમ્બતુરમાં તમિલનાડુ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધિત કરશે.

Related Posts