રાષ્ટ્રીય

અમે માર્યા ગયેલા ૨૬ લોકોના પરિવારો સાથે છીએ અને તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવીએ છીએ: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ

પૂર્ણ રાજ્યનો દરજ્જાે માંગવાનો આ યોગ્ય સમય નથી: ઓમર અબ્દુલ્લાહ

જમ્મુ કાશ્મીર વિધાનસભામાં વિશેષ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પહલગામ આતંકવાદી હુમલામાં જીવગુમાવનર લોકોના પરિવારો સાથે છીએ અને તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવીએ છીએ.
જમ્મુ કાશ્મીર વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહએ કહ્યું હતું કે, ‘સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવનારા લોકોએ સમજવું જાેઈએ કે તે લોકોના જીવનને કેટલું મુશ્કેલ બનાવે છે. આપણે બંદૂકોથી આતંકવાદને નિયંત્રિત કરી શકીએ છીએ, પરંતુ તેને નાબૂદ કરી શકાતો નથી. આ જમ્મુ અને કાશ્મીરની ચૂંટાયેલી સરકારની જવાબદારી છે. આ એવો સમય નથી જ્યારે આપણે જમ્મુ-કાશ્મીર માટે કેન્દ્ર સરકાર પાસેથી પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ કરીએ. અમે આવી સસ્તી રાજનીતિ નથી કરતા. જમ્મુ અને કાશ્મીરની ચૂંટાયેલી સરકારની જવાબદારી છે કે તેઓ ખાતરી કરે કે વાતાવરણ સારું રહે અને મહેમાનોને કોઈ નુકસાન ન થાય.‘
મુખ્યમંત્રી અબ્દુલ્લાહએ કહ્યું હતું કે, ‘આ પ્રસંગે હું જમ્મુ અને કાશ્મીર માટે પૂર્ણ રાજ્યનો દરજ્જાે માંગીશ નહીં. હું કયા મોઢે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જાે આપવાની માંગ કરી શકું? આપણે હંમેશા રાજ્યનો દરજ્જાે માંગીશું પણ જાે હું આજે આવી માંગ કરીશ તો મારા પર લાનત છે.‘
વિધાનસભામાં ઓમર અબ્દુલ્લાહએ કહ્યું કે, ‘આ પ્રસંગે હુમલાની સખત નિંદા કરતાં અમે ફક્ત એક જ વાત કહીએ છીએ કે માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના તેમની સાથે છે.‘
આ સાથેજ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહએ હુમલા પછી સ્થાનિક લોકોની ભૂમિકાની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘હોટલ સ્ટાફે તેમના રૂમ છોડી દીધા અને તેમને અહીં રહેવાનું કહ્યું. ઓટો ચાલકોએ કહ્યું કે અમે તમને પૈસા વગર જ્યાં પણ જવા માંગો છો ત્યાં મૂકી જઈશું. હું આવી કાશ્મીરીયતને સલામ કરું છું. આ આપણી મહેમાનગતિ છે. પોતાના જીવની પરવા કર્યા વિના, આદિલે તેનો જીવ બચાવ્યો, સ્થાનિક લોકોએ મદદ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. આ તક આતંકવાદના અંતની શરુઆત છે. એવું કોઈ પગલું ન ભરવું જાેઈએ જે આપણા પ્રિયજનોને દૂર લઈ જાય.‘

Related Posts