fbpx
ભાવનગર

તળાજા તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪ ડિસેમ્બરના રોજ તળાજા મામલતદાર કચેરી ખાતે યોજાશે

તળાજા તાલુકાની જનતાને જણાવવામાં આવે છે કે, રાજ્ય સરકારનાં આદેશ અનુસાર આગામી તા. ૨૪ ડિસેમ્બર-૨૦૨૪ ને મંગળવારના રોજ સવારે- ૧૧.૦૦ કલાકે મામલતદાર કચેરી, તળાજા ખાતે તળાજા પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.

આ પ્રશ્નો માટે અરજદારશ્રીઓ પાસેથી તા.૧૨/૧૨/૨૦૨૪ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવી છે. પ્રશ્નો રજૂ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલતદારશ્રી, તળાજાને આધાર-પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં અરજી રજૂ કરતાં પહેલા ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ સબંધિત કચેરીને અરજી કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણીત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજૂઆત કરી શકાશે. સામૂહિક રજૂઆત કરી શકાશે નહી. આ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા નીતિ વિષયક બાબતો સિવાયની અરજીઓ સ્વિકારવામાં આવશે. જેની જાહેર જનતાને નોંધ લેવા જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts