અમરેલી

૧૫૦ જેટલા ગરીબ પરિવારો ને પ્રધાન મંત્રી આવાસ યોજના ની દરખાસ્તો પાંચ વર્ષ સુધી ઇજનેરે અભિપ્રાય કેમ ન આપ્યો ? ઇનવોર્ડ કરેલ દરખાસ્ત પરત કરી ઓન લાઇન નો હઠ પાંચ પછી કેમ ?

દામનગર શહેર માં ધર ના ધર ની વાટે પાંચ વર્ષ થી લબડતાં ૧૫૦ જેટલા ગરીબ પરિવારો ને પ્રધાન મંત્રી આવાસ યોજના ની દરખાસ્તો માં ઇજનેરે અભિપ્રાય કેમ ન આપ્યો ? દામનગર શહેર ના ૧૫૦ જેટલા ગરીબ પરિવારો એ ઘર નું ઘર મેળવવા પેટે પાટા બાંધી તૈયાર કરાવેલ દરખાસ્તો માં આવક ના દાખલા ઓની મર્યાદા સમાપ્ત થઈ ફરી આવક ના દાખલા માટે ખૂબ મોટો ખર્ચ કરી પાલિકા માં ગયા તો પ્રધાન મંત્રી આવાસ યોજના ની દરખાસ્તો લાભાર્થી ઓને પરત કરી ઓન લાઇન કરવા ફરજ પાડી ઈજનેર ની મનમાની કેમ ? જરૂરિયાત મંદ ગરીબ પરિવારો ને પ્રધાન મંત્રી આવાસ યોજના ના લાભ માટે પાંચ વર્ષ પહેલાં કરેલ દરખાસ્ત ઇનવોર્ડ થયા બાદ પાંચ વર્ષ કોની બેદરકારી એ પડી રહી ?

આવક ના દાખલા ની મર્યાદા સમાપ્ત થઈ જતા લાભાર્થી ઓને બોલાવી ફરી તાજેતર ના વર્ષ ના આવક દાખલા નો ખર્ચ કરી પાલિકા માં આપ્યા તો પ્રધાન મંત્રી આવાસ યોજના ની દરખાસ્ત પરત કરાય ઓન લાઇન કરો ની ફરજ પડાય પાંચ વર્ષ સુધી સ્થાનિક સત્તાધીશો એ અને તંત્ર એ શું કર્યું ? ભાજપ શાસિત પાલિકા માંજ એકપણ વ્યક્તિ ને પ્રધાન મંત્રી આવાસ યોજના લાભ ન મળ્યો આ કોની બેદરકારી ? પાલિકા ના સત્તાધીશો અને તંત્ર એટલું તો ક્યાં કામ માં રોકાયું હતું કે વર્ષ સુધી એકપણ પ્રધાન મંત્રી આવાસ ની દરખાસ્ત માં અભિપ્રાય ન આપ્યો ?

ઘર ના ઘર ની રાહ માં પાંચ વર્ષ થી લબડતાં લાભાર્થી ઓને માત્ર અભિપ્રાય આપવા માં ઇજનેર ના અખેડા કેમ ? લાખો રૂપિયા ખાનગી કલ્સટીંગ એજન્સી ને ચૂકવાય છે તો પાલિકા ના ઈજનેર શુ કરે છે ? પાલિકા ના સત્તાધીશો ઈજનેર ની પૂછી ને પાણી પીવે છે ? જનસેવા માટે ચૂંટાયેલ નેતા ઓ પ્રજા ના પ્રશ્ને જાગૃત બની કામ કરે એ જરૂરી પાંચ વર્ષ સુધી પ્રધાન મંત્રી આવાસ યોજના ની ૧૫૦ જેટલી દરખાસ્તો અભિપ્રાય માટે પડી રહી કે પડી રહેવા લેવાય ? આવક ના દાખલા ઓની સમય મર્યાદા સમાપ્ત થઈ ત્યાં સુધી પાલિકા તંત્ર એ શું કર્યું ?ઇનવોર્ડ થયેલ દરખાસ્તો પરત કરી ઓન લાઇન નો હઠ કેમ ? ઓનલાઈન દરખાસ્ત કરવાની હોય તો ઇનવોર્ડ કેમ કરાય ? પ્રધાન મંત્રી આવાસ યોજના માં વચેટિયા મારફતે વહીવટ બંધ કરો ગરીબ પરિવાર ની હાય ક્યાં સુધી લેશો ?

Related Posts