અમરેલી

અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે પ્રાકૃતિક ખેતી શા માટેજરુરી છે?  પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી? તે વિશે સમજ આપવામાં આવ

અમરેલીતા.૦૭ મે૨૦૨૫ (બુધવાર) અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ (સી.ઓ.એન.એફ. જી.એન.એફ.એસ.યુ) અમરેલીના સંયુક્ત ઉપક્રમે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રની કૃષિ સખી‘ તાલીમાર્થી બહેનો માટે એક મુલાકાત ગોઠવવામાં આવી હતીઆ મુલાકાતમાં અમરેલીના આજુબાજુના ગામોમાંથી ૩૦ બહેનોએ ભાગ લીધો હતો.

અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના આચાર્યશ્રી ડૉ. સ્વપ્નિલ દેશમુખે,  કૃષિ સખીઓને પ્રાકૃતિક ખેતી વિશે વિગતવાર સમજણ અને માર્ગદર્શન આપ્યું હતુંઆજના સમયમાં પ્રાકૃતિક ખેતી શા માટે જરુરી છે?  પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવીતેમજ ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં આવે તે વાક્યને સાર્થક કરવા જણાવ્યુ હતુ.

પ્રાકૃતિક ખેતીને લગતી મુલાકાત દરમિયાનકૃષિ સખી એફએમટી ક્લસ્ટરની બહેનોએ અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે આવેલા પ્રાકૃતિક ફાર્મને નિહાળી મુખ્ય પાક તથા મિશ્ર પાક વિશે વિગતો લીધી હતી. તલમિલેટ્સડુંગળીમગખરસાણીવાલતલગુવારસૂર્યમુખી સહિત મુખ્ય અને મિશ્ર પાકો સહિત વિશેષ વિગતો મેળવી હતી.

સમગ્ર મુલાકાતનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વડા શ્રીમતી મિનાક્ષીબેન બારૈયાઅમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના આચાર્યશ્રી ડૉ. સ્વપ્નિલ દેશમુખકેમ્પસના વિષય નિષ્ણાંત શ્રી ડૉ. નિલેષભાઈ કાછડિયાશ્રી બી. ડી. મકવાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતુતેમ અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.

Related Posts