અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૬૭ જેટલા રસ્તાઓના રીસર્ફેસિંગ તથા તેને આનુસંગિક કામગીરીની મંજૂરી આપી દેવામાં આવી છે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ ૬૭ રસ્તાઓના કામને આવરી લઈ કુલ ૨૬૮ કિમીના રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે.
આ સંદર્ભેની વિગત આપતા માર્ગ અને મકાન પંચાયતના કાર્યપાલક ઇજનેર શ્રી સ્મિત ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની દૂરસ્તીકરણની કામગીરીની સાથે રીસર્ફેસિંગની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે, આ સાથે જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારના ૬૭ જેટલા રસ્તાઓના કામ મંજૂર કરી દેવામાં આવ્યા છે, તેના એસ્ટીમેન્ટ લેવલની કામગીરી પૂર્ણ કરીને, ટૂંકમાં જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
તેમણે કહ્યું કે, આ ૬૭ રસ્તાઓના કામને આવરી લઈ કુલ ૨૬૮ કિમીના રસ્તાનું અંદાજે રૂ.૧૫,૯૬૫ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. આમ, ગ્રામીણ વિસ્તારમાં પરિવહન સરળ બનશે, જેથી જનસુખાકારીમાં પણ વધારો થશે.




















Recent Comments