અમરેલી

સાવરકુંડલા માર્કેટયાર્ડ દ્વારા સ્‍વ. ખેડૂતના પરિવારને એક લાખનો ચેક અર્પણ થયો

મોટા ઝીંઝુડા ગામના ખાતેદાર ખેડુતનું અકસ્‍માતે અવસાન થતા સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ દ્વારા તેમના વારસદારને રૂા. એક લાખનો ચેક આપવામાં આવ્‍યો. સાવરકુંડલા તાલુકાના મોટાઝીંઝુડા ગામના ખેડુત ખાતેદાર સ્‍વ.મનસુખભાઇ રણછોડભાઇ સુહાગીયાનું અકસ્‍માતે મૃત્‍યુ થતા તેમના વારસદારોને સાવરકુંડલા એ.પી.એમ.સી. (માર્કેટયાર્ડ) દ્વારા લેવામાં આવેલ જુથ અકસ્‍માત વીમા પોલીસી અંતર્ગત રૂા.એક લાખની અકસ્‍માત સહાયનો ચેક ચેરમેન દિપકભાઇ માલાણીના હસ્‍તે આપવામાં આવ્‍યો.

Related Posts