fbpx
ગુજરાત

વડોદરા એ તેનું વધુ એક ઓજસ્વી રત્ન ગુમાવ્યું હસમુખ શાહનું ૮૭ વર્ષની વયે નિધન

વડાપ્રધાન કાર્યાલયમાં ઇન્દિરા ગાંધી સહિત દેશના ત્રણ ઁસ્ સાથે સંયુક્ત સચિવ તરીકે કામ કરી ચૂકેલા હસમુખ શાહનું ૮૭ વર્ષની વયે અવસાન. તેમની કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમનું નિવાસ સ્થાન વડોદરા છે. હસમુખ શાહ, સરકારી, જાહેર ક્ષેત્ર અને એક નાગરિક તરીકે અસાધારણ જીવન અને કારકિર્દી ધરાવતા હતા. તેઓએ સંયુક્ત સચિવ તરીકે વડાપ્રધાન કાર્યાલયમાં સતત ત્રણ વડાપ્રધાન મોરારજી દેસાઈ, ચૌધરી ચરણ સિંહ અને છેલ્લે ઈન્દિરા ગાંધી સાથે કામ કર્યું હતું.
આઈપીસીએલ(ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ)નું ખાનગીકરણ થયું તે પહેલા તેઓ તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પણ હતા. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે એન્જિનિયરિંગ પ્લાસ્ટિકના વિકાસ માટે ય્ઈ અને ૈંઁઝ્રન્ વચ્ચે સંયુક્ત સાહસ બનાવવા માટે જેક વેલ્ચને સમજાવ્યા હતા. સમગ્ર પેકેજિંગ ફિલ્મ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ તથા કૃષિ વ્યવસાયમાં(ટપક સિંચાઈ અને કેનાલ લાઇનિંગ દ્વારા) પ્લાસ્ટિકના ઉપયોગનો પ્રચાર કરવાનું કામ કર્યું હતું. શાહના કાર્યકાળ દરમિયાન યુ.કે.ની કેમિકલ ઈનસાઈટે આઈપીસીએલને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પેટ્રોકેમિકલ ઉત્પાદક કંપની તરીકે બિરદાવ્યું હતું.
હસમુખ શાહે તેમના નિવૃત્તિ પછીના સમયગાળાનો ઉપયોગ અનેક સંસ્થાઓ સ્થાપવા માટે કર્યો. તેઓ ગુજરાત ઇકોલોજી કમિશન (ય્ઈઝ્ર), ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી(ય્ેંૈંડ્ઢઈ), ગુજરાત ઇકોલોજી સોસાયટી(ય્ઈજી), ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટી (ય્દ્ગઝ્રજી)ના સ્થાપક અને હેરિટેજ ટ્રસ્ટના સ્થાપક અધ્યક્ષ હતા. દર્શક ઇતિહાસ નિધિ (ડ્ઢૈંદ્ગ)ના સ્થાપક ટ્રસ્ટી તરીકે, તેમણે ગુજરાતના મેરીટાઇમ ઈતિહાસ પર અનેક બહુવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોનું આયોજન કર્યું અને આ વિષય પર શિષ્યવૃત્તિ અને પ્રકાશનોને પ્રાયોજિત કર્યાં. તેઓ ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (ૈંદ્ગ્‌છઝ્રૐ)ના અધ્યક્ષ પણ હતા.
તેઓ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલા હતા તથા અધ્યક્ષ તરીકે ઘણી વ્યૂહાત્મક દિશાઓનું સંચાલન કર્યું હતું. જેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (દ્ગૈંડ્ઢ), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (ૈંૈં્‌), ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (ૈંઇસ્છ), ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી (ડ્ઢછૈંૈંઝ્ર્‌), એમ.એસ. યુનિવર્સિટી, સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી, સેન્ટર ફોર ફ્યુઅલ રિસર્ચ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી (ય્ૈંઇડ્ઢછ) અને લોકભારતીનો સમાવેશ થાય છે.
તેઓ “ભારતીય એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન” (મ્છૈંહ્લ), “અક્ષર ટ્રસ્ટ”, “ભારત ગ્રામીણ આજીવિકા ફાઉન્ડેશન”, “ચારુતર આરોગ્ય મંડળ” જે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં તબીબી શિક્ષણ અને સંભાળ પૂરી પાડે છે. “શ્રમ મંદિર” જે રક્તપિત્તની સારવાર અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેવી અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ (દ્ગય્ર્ં) અને ફાઉન્ડેશનોના ટ્રસ્ટી અથવા અધ્યક્ષ તરીકે પણ હતા.
૧૯૭૮માં જાેરહાટમાં વડાપ્રધાનના વિમાન સાથે થયેલી વિમાન દુર્ઘટનામાં સાથે હોવાથી લઈને, સિડની કોમનવેલ્થ વડાઓની બેઠક (ઝ્રૐર્ંય્સ્) માં થયેલા બોમ્બ ધડાકાથી લઈને ધ તિયાનેનમેન સ્ક્વેર વિદ્રોહ જેવી અન્ય ઘણી ઐતિહાસિક ઘટનાઓના અંગત રીતે સાક્ષી હતા. તેમણે ગુજરાતીમાં તેમના સંસ્મરણો ‘દીઠુ મેં’માં આવી ઘણી વાતોનો ચિતાર પ્રસ્તુત કરેલો છે. જેની અંગ્રેજી આવૃત્તિ “ફ્રોમ ધ માર્જિન્સ ઓફ હિસ્ટ્રી” ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. હસમુખ શાહના પરિવારમાં તેમની પાછળ પત્ની નીલા, પુત્ર અમલાન અને પુત્રી અલ્પના છે

Follow Me:

Related Posts