બોલિવૂડ

અભિનેત્રી આંચલ તિવારીનું અવસાન ચોક્કસ થયું છે, પરંતુ આ આંચલ તિવારી ‘પંચાયત ૨’ની અભિનેત્રી નથી

પંચાયત ૨ ની અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર આવીને આ ખુલાસો આપવો પડ્યો’પંચાયત ૨’ અભિનેત્રી આંચલ તિવારીના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઘણા મીડિયા રિપોર્ટ્‌સમાં કહેવામાં આવ્યું છે કે બિહારમાં આંચલનું રોડ અકસ્માતમાં મોત થયું છે. પરંતુ પૂનમ પાંડેની જેમ આંચલે પણ અચાનક સોશિયલ મીડિયા પર આવીને કહ્યું કે અરે હું જીવિત છું. જાે કે, આ કેસ સંપૂર્ણપણે અલગ છે. પૂનમની જેમ આંચલે પણ તેના મૃત્યુના સમાચાર જાણીજાેઈને વાયરલ કર્યા ન હતા. તો ચાલો જાણીએ શું છે આ મામલો અને શા માટે પંચાયત ૨ ની અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર આવીને આ ખુલાસો આપવો પડ્યો.

ખરેખર, અભિનેત્રી આંચલ તિવારીનું અવસાન ચોક્કસ થયું છે, પરંતુ આ આંચલ તિવારી ‘પંચાયત ૨’ની અભિનેત્રી નથી. રવિવાર ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ, બિહારના કૈમુરમાં એક માર્ગ અકસ્માતમાં ભોજપુરી સિનેમાના ચાર કલાકારોનું મૃત્યુ થયું હતું. અહેવાલો અનુસાર, ભોજપુરી ગાયક છોટુ પાંડે એક કાર્યક્રમ માટે તેની ટીમ સાથે યુપી તરફ જઈ રહ્યો હતો. અને બાઇક સવારને બચાવતા તેમની કાર રસ્તામાં પલટી ગઇ હતી. અચાનક પાછળથી આવતી ટ્રક માટે બ્રેક લગાવવી મુશ્કેલ બની હતી અને તે કાર અને બાઇકને કચડીને આગળ વધી હતી. આ અકસ્માતમાં ૯ લોકોના મોત થયા છે. જેમાં ભોજપુરી અભિનેતા સત્યપ્રકાશ મિશ્રા, ગાયક છોટુ પાંડે, અભિનેત્રી આંચલ તિવારી અને સિમરન શ્રીવાસ્તવનું નામ સામેલ છે.
અભિનેત્રી આંચલ તિવારીનું નામ સાંભળીને બધાએ માની લીધું કે પંચાયત અભિનેત્રીનું મૃત્યુ થઈ ગયું છે. નામ એક જ હોવાને કારણે દરેકને આ મૂંઝવણનો સામનો કરવો પડ્યો હતો. જાે કે, પંચાયત ૨ ફેમ આંચલ તિવારી આ સમગ્ર મામલાને લઈને ખૂબ જ નારાજ છે અને તે માને છે કે વેરિફિકેશન વગર તેના ફોટોનો ઉપયોગ કરવો ખોટું છે.

Related Posts