રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યાં અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના જુહાપુરા સરખેજ રોડ પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં ટ્રકચાલકે એક્ટિવાચાલકને એડફેટે લેતાં એક મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માતની વાત કરીએ તો એક્ટિવાચાલકની પત્ની પર ટ્રકનું ટાયર ફરી વળ્યું જેના પગલે તેનું ભર્યુ મોત થયું છે. મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું છે. ટ્રાફિક પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી છે.
અમદાવાદના જુહાપુરા સરખેજ રોડ પર અકસ્માત, એકનું મોતટ્રકચાલકે એક્ટિવાચાલકને એડફેટે લેતાં એક મહિલાનું મોત નિપજ્યું

Recent Comments