ગુજરાત

અમદાવાદમાં માનસિક બિમાર વૃદ્ધાની મદદે અભયમની ટીમ આવી

અમદાવાદ શાહપુર વિસ્તારમાંથી અભયમની ટીમને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, એક વૃદ્ધા ભુલા પડ્યાં છે અને તેમની માનસિક સ્થિતિ સારી નથી જેથી મદદ માટે આવો. અભયમની ટીમે ત્યાં પહોંચીને વૃદ્ધાની પુછપરછ કરી ત્યારે મહિલા કંઈ જ બોલતા ન હતાં અને મારે ઘરે જવું છે તેમ કહેતા હતાં. તેમની માનસિક સ્થિતિ સારી નહીં હોવાથી ઘરેથી નીકળી ગયા હોવાનું અને રસ્તો ભૂલ્યા હોવાનું અભયમની ટીમને જાણવા મળ્યું હતું.

વૃદ્ધાને ઘરનું સરનામું પૂછતાં લક્ષ્મીનગરની ચાલી બોલતા હતાં પણ કયા એરિયામાં છે તે ખબર નહોતી. તેમને તેમના પરિવારના સભ્યોના નામ પણ ખબર નહોતી. વૃદ્ધાના ગળામાં એક આઈકાર્ડ પહેરેલું જાેવા મળ્યું હતું. જ્યાં તેમના દીકરાનો મોબાઈલ નંબર મળી આવતાં જ અભયમની ટીમે દીકરાને ફોન કર્યો હતો. બાદમાં વૃદ્ધાને લઈને તેમના ઘરે ગયાં હતાં. આ સમયે દીકરાએ જણાવ્યું હતું કે, માતા સાથે તે એકલો રહે છે. તેને ઓફિસથી આવવામાં મોડું થયું હોવાથી વૃદ્ધા મંદિરે જવા નીકળી ગયાં હતાં અને ઘરનો રસ્તો ભુલી ગયાં હતાં. જેથી અભયમની ટીમે દીકરાને સમજાવતાં જણાવ્યું હતું કે, વૃદ્ધાની માનસિક સ્થિતિ સારી નહી હોવાથી તેમનું ધ્યાન રાખવું અને ઘરેથી એકલા નીકળવા દેવા નહીં. આ રીતે ઘરનો રસ્તો ભટકેલા ૮૦ વર્ષિય વૃધ્ધાને ઘરે મોકલીને અભયમની ટીમે માનવતા મહેકાવી હતી.

અમદાવાદના શાહપુરમાં ૮૦ વર્ષના વૃદ્ધા મંદિર જવા માટે ઘરેથી નીકળ્યા અને માનસીક બીમાર હોવાથી ઘરનો રસ્તો ભુલી ગયાં હતાં. તેથી તેઓ રસ્તા પર બેસી રહ્યાં હતાં. તેઓ રસ્તા પર મારે ઘરે જવું છે મારે ઘરે જવું છે. એવું રટણ કરતાં હતાં. આ અંગે એક નાગરીકે અભયમની ટીમને કોલ કરતાં અભયમની ટીમે વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરીને તેમને તેમના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડ્યા હતાં.

Related Posts