ખરેખર અમદાવાદમાં રખડતા કૂતરા સફેદ હાથી પૂરવાર થાય તો નવાઈ નહીં. એમને પાળવા નહીં પણ એમની નસબંધી કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. છસ્ઝ્રએ બોપલથી ઘુમા સુધી લગભગ ૨૦૦ રખડતા કૂતરાઓની ઓળખ કર્યા પછી આ પહેલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૪૦ જેટલા કૂતરાઓને નસબંધી માટે પકડવામાં આવ્યા છે. વાઘ બકરી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પરાગ દેસાઈ (૫૦)ના બોપલ આવાસ નજીક રખડતા કૂતરાના હુમલા બાદ થયેલા મૃત્યુને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર) એ કૂતરાઓની વસ્તીને અંકુશમાં લેવાના પ્રયાસો તેજ કર્યા છે. છસ્ઝ્રનો ઢોર નિયંત્રણ અને ઉપદ્રવ વિભાગ (ઝ્રઝ્રદ્ગડ્ઢ) વિભાગ રખડતા કૂતરાઓની નસબંધી અભિયાનનું નેતૃત્વ કરી રહ્યું છે,
આ કાર્ય ૨૫ ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે. છસ્ઝ્રએ આ નસબંધી અભિયાનમાં બિન-સરકારી સંસ્થાઓ (દ્ગય્ર્ં) સાથે સહયોગ વધારવાના ઉદ્દેશ્ય સાથે રૂ. ૮ કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. નસબંધી ઝુંબેશની વિગતો જાણીએ તો વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩ દરમિયાન કુલ રૂ. ૯.૧૧ કરોડના ખર્ચે ૯૮,૩૩૩ કૂતરાઓની નસબંધી સાથે કરાઈ હતી. ચાલુ વર્ષમાં રૂ. ૨.૫૩ કરોડના ખર્ચે ૧૦ મહિનાના સમયગાળામાં ૨૫,૯૯૩ કૂતરાઓની નસબંધી કરવામાં આવી હતી. હાલમાં, ચાર એનજીઓ આ નસબંધી મિશન માટે છસ્ઝ્ર સાથે ભાગીદારીમાં છે. છસ્ઝ્ર દરેક કૂતરાની નસબંધી માટે રૂ. ૯૭૬.૫૦ ચૂકવે છે. ૨૦૧૯-૨૦ પછી છસ્ઝ્રના અધિકારક્ષેત્રના વિસ્તરણ સાથે, રખડતા કૂતરાઓની અંદાજિત વસ્તી વધીને લગભગ ૩.૭૫ લાખ થઈ ગઈ છે,
પરંતુ રેકોર્ડ દર્શાવે છે કે અત્યાર સુધીમાં માત્ર ૧.૫ લાખ કૂતરાઓની જ નસબંધી કરવામાં આવી છે. આ પહેલમાં સક્રિય રીતે સામેલ ચાર એનજીઓ પીપલ ફોર એનિમલ્સ, ગોલ ફાઉન્ડેશન, યશ ડોમેસ્ટિક રિસર્ચ સેન્ટર અને સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ છે, જે દરેક શહેરના જુદા જુદા વિસ્તારો માટે જવાબદાર છે. જ્યારે પીપલ ફોર એનિમલ્સ ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ક્ષેત્રમાં કામ કરે છે, ત્યારે ગોલ ફાઉન્ડેશન દક્ષિણ પશ્ચિમ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યશ ડોમેસ્ટિક રિસર્ચ સેન્ટર ઉત્તર અને પૂર્વ ક્ષેત્રનું સંચાલન કરે છે, અને સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દક્ષિણ અને મધ્ય ક્ષેત્રને આવરી લે છે.
Recent Comments