ગુજરાત

અમદાવાદ રેન્જ આઇ.જી નાં આદેશથી નળસરોવર વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યુંપ્રવાસીઓને બોટ માલિકોના માણસો દ્વારા હેરાન કરવામાં આવતાં હોવાની ફરિયાદ ઉઠી હતી

અમદાવાદ જિલ્લામાં નળસરોવર કે જ્યાં ડિસેમ્બર મહિના આસપાસ બહારથી મોટી સંખ્યામાં પક્ષીઓ આવતા હોય છે. આ પક્ષીઓને જાેવા માટે તેમજ નૌકાવિહાર કરવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ નળ સરોવર આવતા હોય છે, પરંતુ છેલ્લા થોડા સમયથી સ્થાનિક લોકો પ્રવાસીઓને હેરાન કરતા હોવાની ફરિયાદોમાં વધારો થયો હતો. જેને લઈને અમદાવાદ જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસને મળતી ફરિયાદોને લઈને અમદાવાદ રેન્જ આઇ.જી સહિતના અધિકારીઓ દ્વારા તાત્કાલિક પગલાં લેવા માટે આદેશ કરવામાં આવ્યા હતા.

જેના આધારે અમદાવાદ ગ્રામ્ય, વિરમગામ વિભાગ, નળ સરોવર પોલીસ, એલસીબી, એસઓજી તેમજ અન્ય ૧૫૪ પોલીસ કર્મચારીઓ સાથે તાલુકા કક્ષાના પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત ફીસરીઝ મત્સ્ય ઉદ્યોગ ગાંધીનગર અને વન વિભાગ ના અધિકારી અને કર્મચારીઓને સંયુક્ત ટીમ બનાવી નળસરોવર વિસ્તારમાં એક મહત્વનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી તમામ વિભાગો સંયુક્ત રીતે ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી. પોલીસ અને અન્ય વિભાગો દ્વારા નળસરોવર વિસ્તારમાં મળી રહેલી ફરિયાદોને આધારે પહેલા તો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સામે આવ્યું હતું કે નળ સરોવરમાં જે બોટિંગનો નિર્ધારિત ચાર્જ છે તેના કરતાં વધુ વસૂલવામાં આવે છે. આ ઉપરાંત પ્રવાસીઓને બોટ માલિકોના માણસો દ્વારા હેરાન કરવામાં આવે છે, તો નળસરોવરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે મત્સ્ય ઉદ્યોગ ચાલી રહ્યો છે.

આ તમામ ફરિયાદોને આધારે પોલીસે અન્ય વિભાગો દ્વારા અલગ અલગ ટીમો બનાવી કામગીરીઓ હાથ કરવામાં આવી હતી. નળસરોવર પોલીસ સ્ટેશનમાં નળસરોવર પક્ષી અભ્યારણ્યમા આવતા પ્રવાસીઓ માટે નૌકાવિહારના એક વ્યકિત દીઠ ૩૦૦ રૂપિયા નક્કી કરેલા છે તેના કરતા વધુ રૂપિયા વસુલાત કરી છેતરપીડી કરતા હોવાની ફરિયાદ આવતી હતી. સાથે જ બોટના માલીકના બીજા માણસો આવતા પ્રવાસીઓનો પીછો કરી હેરાન પરેશાન કરતા હોવાની પણ ફરિયાદો હતી.

બીજી તરફ વેકરીયા તેમજ કાયલા ગામમાં આવેલી સરકારી જમીનમા ગેરકાયદે કબ્જાે કરી ગેરકાયદેસર મત્સ વેપાર કરતા હોવાની પણ માહિતીને આધારે અલગ અલગ વિભાગોને જાણ કરી સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આમ ગેરકાયદેસર દબાણ કરેલ કુલ ૩૭ જેટલી તલાવડીઓ જેમાં ૨૧ પાણી ભરેલી તથા ૧૬ ખાલી તલાવડીના પાળા તોડવામાં આવેલ અને કુલ ૮૫૨૦૦ ચો.મી જેટલી સરકારી જગ્યા પરનુ દબાણ દુર કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પ્રવાસીઓને પણ અપીલ કરવામાં આવી છે કે જાે નળસરોવરમાં બોટિંગના વધારે રૂપિયા લેવામાં આવતા હોય અથવા તો કોઈ વ્યક્તિઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવે જેથી યોગ્ય સમયે કાર્યવાહી પણ થઈ શકે.

Related Posts