ગુજરાત

અમરેલીનાં શેખપીપરિયા ગામમાં સગા બાપે સાડા ત્રણ વર્ષની દીકરીની હત્યા કરી દીકરીને કૂવામાં નાંખી

સ્થાનિકોએ ઘટનાની જાણ કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી. અમરેલીમાં લાઠીના શેખપીપરિયા ગામે સગા બાપે સાડા ત્રણ વર્ષની દીકરીની હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. નશાની હાલતમાં દીકરીને કૂવામાં નાંખી પોતે પણ ઝંપલાવ્યુ હતું. સ્થાનિકોએ ઘટનાની જાણ કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી. પિતા-પુત્રીનો સંબંધ પવિત્ર, ર્નિમળ માનવામાં આવે છે. પિતાનો પુત્રી પ્રત્યેનો પ્રેમ અતુલનીય હોય છે. પરંતુ હવે પિતા જ પુત્રીની સાથે દુર્વ્યવહાર કરતા હોય, અણગમતું વર્તન કે પછી હત્યા જ કેમ ન હોય જેવી પ્રવૃતિ કરી સંબંધોને લાંછન લગાડી રહ્યા છે.

અમરેલી જીલ્લામાં લાઠી તાલુકામાં શેખપીપરિયા ગામે દારૂના નશામાં ધૂત પિતાએ જ દીકરીને કૂવામાં નાંખી મારી નાંખી હોવાનું સામે આવતા પરિવારમાં માતમ છવાયો છે. માતા શોકમાં ડૂબી ગઈ છે. એક જ દિવસમાં લાઠી તાલુકામાં બે બે હત્યાની ઘટના બની હતી. દારૂના નશામાં ચકચૂર પિતાએ પહેલા દીકરીને કૂવામાં નાંખી હતી, બાદમાં પોતે પણ ઝંપલાવ્યું હતું. દીકરી કૂવામાં તળફળિયા મારતી રહી હતી. જાેકે, તરતા આવડતા હત્યારો બાપ બહાર નીકળી ગયો હતો. મનુભાઈ ખોડાભાઈ જાેગણીની વાડીએ ભાગીયુ રાખી બબલુ ભુરજી નામના પરપ્રાંતીય વ્યક્તિ કામ કરતો હતો. તેને દારૂના નશામાં પોતાની ફૂલ જેવી દીકરીની હત્યા કરી નાંખી હતી. ઘટનાની જાણ થતા લોકોએ પોલીસને બોલાવી હતી. લાઠી પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહને બહાર કાઢી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ૨૮ તારીખે લાઠીમાં વડાપ્રધાન આવી રહ્યા છે એ પહેલા બે બે હત્યાઓથી તંત્ર દોડતું થયું હોવાનું સ્થાનિકો કહી રહ્યાં છે.

Related Posts