અમરેલી

અમરેલીની શાંતાબા મેડિકલ એન્‍ડ જનરલ હોસ્‍પિટલમાં ર4 કલાક સુધી ડાયાલિસીસ સેન્‍ટર શરૂ રહેશે

અમરેલીની શાંતાબા મેડિકલ એન્‍ડ જનરલ હોસ્‍પિટલમાં આગામી એકાદ મહિના માટે રાઉન્‍ડ ધ કલોક એટલે કે ર4 કલાક સુધી ડાયાલીસીસ સેન્‍ટર શરૂ રહેશે.

વિગત એવા પ્રકારની છે કે સુરત ખાતે વસવાટ કરતા વતનપ્રેમીઓ મોટી સંખ્‍યામાં દિવાળીના તહેવારોમાં વતન આવતા હોવાથી જેમાં ડાયાલીસીસના દર્દીઓની સુવિધા માટે શાંતાબા હોસ્‍પિટલના સંચાલક પિન્‍ટુભાઈ ધાનાણીએ સાંસદ કાછડીયાને રજૂઆત કરતાં તેઓએ અધિક નિયામકને રજૂઆત કરતા તેઓએ ર4 કલાક માટે ડાયાલીસીસ સેન્‍ટર શરૂ રાખવાની મંજૂરીઆપતા ડાયાલીસીસના દર્દીઓમાં રાહતની લાગણી ફરી વળી છે.

Related Posts