જાફરાબાદના બાબરકોટ ગામમાં અસ્થિર મગજની સિંહણે હાહાકાર મચાવ્યો હતો. ૬ જેટલા લોકો પર જીવલેણ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ઉભો થયો હતો. રવિવારે સિંહણ દરિયા કાંઠે પહોંચી માઇન્સ વિસ્તારમાં આંટાફેરા કરતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. સિંહણના આતંકની વાત રાજ્ય વનમંત્રી કીરીટ સિંહ રાણા સુધી પહોંચતા તેમણે તાકીદે સિંહણને પાંજરે પુરવા વન વિભાગને આદેશ આપ્યા હતા. જે બાદ ૧૦૮ની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. રાજ્ય સરકારના આદેશ બાદ અમરેલી કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા પણ વનવિભાગને જરૂરી સૂચના આપી દેવાઇ હતી.
જેને લઇને સિંહણને પકડવા મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં પાલીતાણા અને શેત્રુંજી ડીવીઝનના ડી.સી.એફ.જયન પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ જાેડાયા હતા. ધારી, ખાંભા તુલસીશ્યામ, સાસણ સહિત મોટાભાગની રેન્જના ગીર અને રેવન્યુ વિસ્તારની ટીમો બોલાવી હતી અને મેગા ઓપરેશન સફળ પાર પાડતા વનવિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ પાસે સિંહણ આવી ચડતા પ્રથમ વનવિભાગના ટ્રેકર પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ગામના બે એસઆરડી જવાનો પર હુમલો કરી ઘાયલ કર્યા હતા. એસઆરડી જવાનોના પરના હુમલા સમયે સિંહણ આક્રમક બની હતી. જાેકે, તેમની લાકડી વડે સામનો કરતા એસઆરડી જવાનનો જીવ બચી ગયો હતો.
હુમલાની ઘટના બન્યા બાદ પણ સિંહણે ત્રણ લોકો પર હુમલો કરી ઘાયલ કર્યા હતા. હુમલામાં ઘાયલ લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ધારીના મીઠાપુર ગામમા ૮ દિવસ પહેલા સિંહણ દ્વારા ૧ માલધારી યુવક ઉપર હુમલો કર્યો હતો. ૬ લોકો પર હુમલાની ઘટના બની છે. સામાન્ય રીતે સિંહણ લોકો પર હુમલા કરતી હોતી નથી. ભૂતકાળમાં વર્ષ ૨૦૧૪ આસપાસ રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહણને હડકવા ઉપડ્યો હતો ત્યારે એક સાથે ૭ લોકો ઉપર હુમલો કર્યો હતો.અમરેલી જિલ્લામાં આતંક મચાવનાર સિંહણ આખરે પાંજરે પુરાઇ છે.
જાે રાત સુધીમાં સિંહણ પાંજરે ન પુરાઇ હોત તો જિલ્લા કલેક્ટર દ્વારા કેટલાક વિસ્તારોમાં કલમ ૧૪૪ની જાહેરાત કરવાની હતી. અસ્થિર મગજની સિંહણે ૬ જેટલા લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે પાર્ક કરેલા વાહનોને બચકાં ભરતી હતી. અસ્થિર મગજની સિંહણના સામે આવેલા એક વીડિયોમાં તે દરિયા કાંઠે અવર જવર કરતી જાેવા મળે છે.


















Recent Comments