તંત્રની ઉત્તમ કામગીરી અને લોકોના સુંદર સહકારે અમરેલી જિલ્લામાં કોરોનાની સ્થિતિમાં આવેલો સુધાર. આજે ફક્ત 2 પોઝિટિવ કેસ સામે 1 ડિસ્ચાર્જ.
તંત્રની સરાહનીય કામગીરી અને લોકોના સહકારે અમરેલી જિલ્લામાં કોરોનાની સ્થિતિમાં ખૂબ સુધારો આવ્યો છે. પોઝિટિવ કેસોની હવે જૂજ નોંધાઇ રહ્યા છે. સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ ઘટતી જાય છે તેમજ ડિસ્ચાર્જની સંખ્યા પણ વધતી જાય છે. ભુલાય નહિ અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન છે. આજ તા. 11 જાન્યુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ ફક્ત 2 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ ફક્ત 36 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે. આજે ફક્ત 1 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોના થી અત્યાર સુધીમા 41 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3747 પર પહોંચ્યો.
અમરેલીમાં કોરોના વધુ 2 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3747 પર


















Recent Comments