રાજ્ય સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે
રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની તા. ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને સુશાસન સપ્તાહના પાંચમા દિવસે એટલે કે આજે ૨૯ ડિસેમ્બરના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમરેલી ગજેરા સંકુલ ખાતે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાની અધ્યક્ષતામાં ખાસ કાર્યક્રમ યોજાનાર છે.
સવારે ૧૦ થી ૧૨ કલાક દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં ૨૫૦ થી વધારે લાભાર્થીઓને વિવિધ પ્રકારના યોજનાકીય લાભોથી લાભાન્વિત કરવામાં આવશે. તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીને સાધનસામગ્રી તેમજ સહાયનું વિતરણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગની યોજનાકીય માહિતી આપતી ટૂંકી ફિલ્મનું પ્રસારણ કરવામાં આવશે. કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.
Recent Comments