જરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ, અમરેલી જિલ્લાના બાબરા, દામનગર, ધારી, જાફરાબાદ, સાવરકુંડલા, ખાંભા, લીલીયા, રાજુલા અને વડીયા તાલુકા ખાતે સરકારી અનાજના ગોડાઉનમાં નિગમની માલિકીના વે-બ્રિજ ઉપલબ્ધ છે. તેના સ્ટેમ્પિંગ અને કેલિબ્રેશનની કામગીરી ન્યુનતમ ૧૨.૫૦ (મે.ટન)થી કરવાનું હોય જેથી તોલમાપ ખાતામાં માન્યતા પ્રાપ્ત કરેલ જુદી-જુદી પાર્ટીઓએ પોતાના લેટરપેડ ઉપર ભાવપત્રક (ક્વોટેશન) ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી., મેમણ બોર્ડિંગ નજીક, સ્ટેશન રોડ, અમરેલી સરનામે દિન-૭ સુધીમાં મળી રહે તે રીતે રુબરુ અથવા પોસ્ટ કે કુરિયરથી મોકલવાના રહેશે. કામગીરી અંગે કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે કચેરીનો સંપર્ક કરવા, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના નાયબ જિલ્લા મેનેજરશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લાના તમામ સરકારી અનાજના ગોડાઉનમાં સ્ટેમ્પિંગ અને કેલીબ્રેશન કામગીરી થશે

Recent Comments