ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જેનો સમયગાળો તા.૨૭.૧૦.૨૦૨૩(શુક્રવાર) થી તા.૦૯-૧૨.૨૦૨૩ (શનિવાર) નક્કી કરવામાં આવેલ છે. તા.૦૧.૦૧.૨૦૨૪ની સ્થિતિએ લાયકાત ધરાવતા ભારતના નાગરીકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે તેમજ મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો પોતાની વિગતોમાં સુધારા કરાવી શકશે. આગામી તા.૦૫.૧૧.૨૦૨૩(રવિવાર) તથા તા.૨૬.૧૧.૨૦૨૩(રવિવાર) તેમજ તા.૦૨.૧૨.૨૦૨૩(શનિવાર) તથા તા ૦૩.૧૨.૨૦૨૩(રવિવાર)ના રોજ ખાસ ઝુંબેશના દિવસો હોવાથી જિલ્લામાં સમાવિષ્ટ ૧૩૭૧ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીઓ સવારના ૧૦.૦૦ કલાક થી સાંજના ૦૫.૦૦ કલાક સુધી ઉપસ્થિત રહી મતદારયાદીમાં નામ નોંધણી સુધારા/કમી માટેનો ફોર્મ્સ સ્વીકારશે. જિલ્લામાં વસવાટ કરતા દેશના યુવા નાગરીકો વધુમાં વધુ મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટરશ્રી, અમરેલી તરફથી જાહેર અપીલ કરવામાં આવે છે.
ભારતના ચૂંટણીપંચ દ્વારા નિયત કરવામાં આવેલ જુદા જુદા પ્લેટફોર્મ મારફત નાગરીકો ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જેવા કે Voter Helpline Mobile App (Android/iOS) , https://voterportal.eci.gov.in/ BLO App (BLO મારફત વધુ માહીતી માટે મતદારો ભારતના ચૂંટણીપંચના મતદાર હેલ્પલાઇન =નંબરટોલ ફ્રી) ૧૯૫૦ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments