અમરેલી

રાજ્ય સરકારે ખરા અર્થમાં અમારા આંસુ લૂછવાનું કાર્ય કર્યું છે : ઉજ્જ્વલા યોજનાના લાભાર્થી બહેનો

દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રત્યેક દેશવાસીઓ અને ખાસ કરીને છેવાડાના ગરીબ માનવીની ચિંતા કરી લોકોના હિતમાં અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે. જેનો લાભ શહેરોથી લઇ અંતરીયાળ ગામડામાં રહેતા લોકોના જીવનધોરણમાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે. અગાઉ આપણી માતા-બહેનોને ચુલાના ધુમાડાથી આરોગ્ય ઉપર માઠી અસર થતા તેઓને આ સમસ્યામાંથી ઉગારી લેવા ઉજ્જવલા યોજના શરૂ કરી. જે અન્વયે સમગ્ર રાજ્યને કેરોસીન મુક્ત કરાવવા માટે ગરીબ પરિવારની મહિલાઓને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામાં આવે છે.

આ યોજના થકી અમરેલી જિલ્લામાં ૧૧,૧૬૪ ગરીબ પરિવારોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામના અમરુબેન ખીમાભાઈ વાઘેલા, કાળીબેન બાબુભાઇ બારૈયા, જાફરાબાદના રૈયાબેન અરજણભાઈ શિયાળ, લુણસાપુરના પુંભીબેન નાથાભાઈ ગોલીતર અને ખીમાબેન ગોકળભાઇ ગોલીતર પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓ છે. આ તમામ લાભાર્થી બહેનોએ જણાવ્યું હતું કે રાજ્યની સરકારે ખરા અર્થમાં અમારા આંસુ લૂછવાનું કાર્ય કર્યું છે. પહેલાના સમયમાં અમારા જેવી બહેનોને ચુલાના ધુમાડાથી આરોગ્ય ઉપર માઠી અસર થતી પરંતુ ઉજ્જવલા યોજના અંતર્ગત અમને ગેસનો ચૂલા તથા ગેસ સિલિન્ડર મળ્યા છે એનો અનેરો આનંદ છે. હવે અમે રસોઈ ઝડપથી અને સહેલાઇથી બનાવી શકીએ છીએ. પહેલા રસોઈ બનાવવાની અપૂરતી સુવિધાના કારણે સમયનો ખૂબ જ વ્યય થતો હતો. પરંતુ ગેસનો ચુલો તથા સીલીન્ડર મળતા અમારો સમય બચે છે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને ગેસના ચૂલા, રેગ્યુલેટર, પાઇપ સેટ આપવામાં આવે છે

Related Posts