અમરેલી કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં બજરંગદળને PFI સાથે જોડવાની અને કર્ણાટકમાં સરકાર બને તો બજરંગદળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. બજરંગ દળ તેના શિસ્તબદ્ધ સંગઠનાત્મક સ્વભાવ માટે જાણીતું છે, તેથી આગામી વિરોધ સ્વરૂપ બજરંગ દળ સાપ્તાહિક મીટીંગમાં “કુમતિ નિવાર સુમિત કે સંગી” દ્વારા સામૂહિક શ્રી હનુમાન ચાલીસા વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા દરેક જિલા પ્રખંડ ખંડ સુધી કાર્યક્ર્મ કરવાનું નક્કી કરવામાં આવેલ જેમાં બજરંગદળ દ્વારા શહેર તથા તાલુકા દ્વારા આજ સાંજે ૭-૦૦ વાગે હઠીલા હનુમાન મંદિર અમરેલી ની જગ્યા પર હનુમાન ચાલીસા ના પાઠ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત અમરેલી જિલ્લા અધ્યક્ષ ઇતેશ ભાઈ મહેતા બજરંગ દળ ના જિલ્લા સંયોજક વિદુરભાઈ ડાબસરા સહ સંયોજક એડવોકેટ જીવીશું મહેતા, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના બજાર ના વેપારી, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.
અમરેલી જિલ્લા બજરંગદળ દ્વારા કર્ણાટક કોંગ્રેસ ના ચૂંટણી ઢંઢેરા ના વિરુદ્ધ હનુમાનજી ચાલીસા

Recent Comments