અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ  સુરેશ પાનસુરીયા દ્વારા ધાબળા અને મમરાના લાડુ, ચીકી, ખજૂર કીટનું વિતરણ.

દાન, ઉમંગ અને ઉલ્લાસના પર્વ મકરસંક્રાંતિના પાવન પવિત્ર દિવસે એસ.પી ગ્રુપ વડોદરા અને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા મધ્યમ વર્ગના પરિવારોને ધાબળા તેમજ મમરાના લાડુ,ચીકી, ખજૂર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.સેવા પરમો ધર્મના સૂત્રને ચરિતાર્થ કરતા સેવાભાવી યુવા અને એસ.પી ગ્રુપ વડોદરા ના ઓનર અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સૂર્યનારાયણ દેવ આપણાં સૌનું જીવન ઊર્જામય બનાવે તેવી હું પ્રાર્થના કરું છું

Related Posts