અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા કે જેઓ જન સેવામાં હંમેશા અગ્રેસર હોય છે. તેમના જનસેવા કાર્યાલય ઉપરથી અસંખ્ય લાભાર્થીઓ લાભાન્વિત થયા છે અને હંમેશા હસતા મુખે જાય છે. અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા ની જો વાત કરીએ તો સેવાનો એક પણ મોકો ન ચૂકનાર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની દરેક યોજનાઓ જન-જન સુધી પહોંચાડનાર પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે તેમણે જ્યારથી જનસેવા કાર્યાલય ચાલુ કર્યું છે ત્યારથી આજ સુધી અસંખ્ય રેકોર્ડ બ્રેક યોજનાઓનો સાવરકુંડલા લીલીયા મત વિસ્તારના લોકોને લાભ પહોંચાડ્યો છે અને લોકોની દરેક મુશ્કેલીઓની અંદર સાથે ખંભે ખંભો મિલાવી અને ઊભા રહેનાર તરીકે સુરેશ પાનસુરીયા નું નામ અગ્રેસર રહ્યું છે. ખેડૂત સન્માન નિધિના E-KYC કાર્યક્રમમાં તો સુરેશ પાનસુરીયાએ ગામડે ગામડે કોમ્પ્યુટર ઓપરેટરોને મોકલી અને ખેડૂતો આ યોજનાથી વંચિત ન રહે તે માટે દરેક ખેડૂતોને પોતાના ઘર આંગણે E-KYC કેમ્પનું ભવ્ય આયોજન પણ કરેલું, વાવાઝોડાની પરિસ્થિતિ હોય કે જિલ્લાની અંદર લોહીની તંગી હોય કે કોરોના જેવી વૈશ્વિક મહામારી હોય આ દરેક સમયે સુરેશ પાનસુરીયા ની સેવાની અમરેલી જિલ્લાએ નોંધ લીધી છે. આજે પણ આ જનસેવા કાર્યાલય ઉપરથી અસંખ્ય લાભાર્થીઓ સેવાનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે. આવા બાહોશ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા લોકોના દિલમાં અનેરૂ સ્થાન ધરાવે છે.
અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા કે જેઓ જન સેવામાં હંમેશા અગ્રેસર હોય છે.

Recent Comments