કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીની યોજના અનુસાર સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાનનો ૨ સપ્ટેમ્બર થી દેશના યશસ્વી વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી ને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા જી સદસ્ય બનાવી સદસ્યતા અભિયાનનું શુભારંભ કરી દીધેલ છે. જેના દ્વારા સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનાવવાની શરૂઆત થઇ ચૂકેલ છે.પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કક્ષાએ તા. ૩ સપ્ટેમ્બરના રોજ માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી સદસ્ય બનાવી અભિયાનનો પ્રદેશમાં શુભારંભ કરશે.
તા. ૦૪ સપ્ટેમ્બર ના રોજ જીલ્લા કક્ષાએ આ અભિયાનનો પ્રારંભ થશે તો અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જીલ્લાના પ્રભારીશ્રી , અધ્યક્ષશ્રી , સાંસદશ્રી , ધારાસભ્યશ્રીઓ , જીલ્લા ભાજપના પદાધિકારીઓ , મંડલના તમામ પદાધિકારીઓ , જીલ્લા તેમજ મંડલના સદસ્યતા અભિયાનના સંયોજકશ્રીઓ /સહ – સંયોજકશ્રીઓ , ચુટાયેલા પ્રતિનિધિઓ , આઈ.ટી. અને સોશિયલ મીડિયા ટીમ ની હાજરીમાં આ અભિયાનનો શુભારંભ થશે.અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અભિયાન ને સફળ બનાવવા માટે જીલ્લા સ્તરની કાર્યશાળા ત્યારબાદ ૨૦ મંડલની અંદર મંડલ સ્તરની કાર્યશાળાઓ, સંયુક્ત મોરચાઓની કાર્યશાળા યોજાયેલ જેમાં અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના વિવિધ પદાધિકારીઓ, ચુટાયેલા પ્રતિનિધિઓ,સીનીયર આગેવાનો એ માર્ગદર્શન આપેલ અને જીલ્લા ભરમાં પાંચ લાખ કરતા પણ વધારે પ્રાથમિક સદસ્યો બનાવવા
માટે આહવાન કરેલ આ તકે ગુજરાત સરકાર ના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા ,સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્યશ્રીઓ મહેશભાઈ કસવાલા,જે.વી. કાકડિયા,જનકભાઈ તળાવીયા ,જીલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા ( અભિયાનના સંયોજક ),પીઠાભાઈ નકુમ,મેહુલભાઈ ધોરાજીયા,અભિયાનના સહ – સંયોજક શરદભાઈ પંડયા , ભાવનાબેન ગોંડલીયા,અતુલભાઈ કાનાણી, શ્રી મયુરભાઈ માંજરીયા(મંત્રી,પ્રદેશ બક્ષીપંચ મોરચો), શ્રી મનોજભાઈ મહીડા(મંત્રી,જીલ્લા ભાજપ), શ્રી અશ્વિનભાઈ સાવલિયા(ચેરમેન,અમર ડેરી અમરેલી), શ્રી રાજુભાઈ ભૂતૈયા(પ્રમુખ,જીલ્લા બક્ષીપંચ મોરચો), શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય(મહામંત્રી,જીલ્લા યુવા ભાજપ), શ્રી જલ્પેશભાઇ મોવલીયા(ભાજપ અગ્રણી) શ્રી ભરતભાઈ પાડા(પૂર્વ મહામંત્રી,જીલ્લા યુવા ભાજપ) , શ્રી રવુભાઇ ખુમાણ (પૂર્વ મહામંત્રી જીલ્લા ભાજપ) વગેરેએ વિવિધ કાર્યશાળાઓમાં માર્ગદર્શન આપેલ.
Recent Comments