ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય અંતર્ગત અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા શહીદ દિવસ નિમિત્તે ‘અમરજવાન જ્યોતિ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમરેલીના રાજકમલ ચોક તથા કોલેજ સર્કલ ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્ર અમરેલીના ઓફિસ આસિસ્ટન્ટશ્રી જેઠવા દ્વારા શહીદ વીરોની પ્રતિમાઓને પુષ્પ અને માળા અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
મહિલા મંડળ હનુમાનપરા હેતલબેન બગથલીયા અને મહિલા મંડળની બહેનોએ શહીદવીરોને શ્રદ્ધાંજલિરુપે ભગતસિંહની છબીને માળા અર્પણ કરી, રાષ્ટ્ર માટે તેમના બલિદાનોનું સ્મરણ કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન નેહરુ યુવા કેન્દ્રના શ્રી શિવમ ગોસાઈએ કર્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી આશિષ જાદવ, શ્રી હેતલબેન બગથલીયા એ જહેમત ઉઠાવી હતી, તેમ અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments