અમરેલી

અમરેલી માર્કેટ યાર્ડમાં સિઝનનાં નવા તલની આવક શરૂ થઈ

અમરેલીમાં સાવરકુંડલા રોડ ખાતે બનેલ શ્રી સરદાર વલ્લભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમરેલી, નવા માર્કેટ યાર્ડમાં ગત તા.૦૬/૦પ/ર૦રર ને શુક્રવાર નાંરોજ સિઝનનાં નવા તલની આવક શરૂ થઈ હતી. જેમાં સફેદતલની આવક પ૦૦ મણ જેટલી હતી અને તેના ભાવો રૂા.૧૯૦૦/– થી રૂા.રર૦૦/– સુધી રહેવા પામેલ હતા અને આજરોજ તા.૦૭/૦પ/રર સફેદતલની આવક ૬પ મણ જેટલી થયેલ છે અનેભાવ રૂા.ર૦૦૦/– થી રરર૭/– સુધી થયેલ છે. તેમજ કાળાતલની આવકપણ – પર– (બાવન) મણ જેટલી થઈ છે અને તેના ભાવો રૂા.ર૧૦૮/– સુધીરહેવા પામેલ છે. આમ માકે૬/ગ્:ત્સટયાડ૬/ગ્:ત્સ અમરેલી ખાતે નવા તલની આવકશરૂ થઈ ગયેલ છે અને ખેડૂતોને તેના ભાવો પણ સારા મળે છે. તેમબજાર સમિતિનાં સેક્રેટરી તુષારભાઈ હપાણીએ એક અખબારયાદીમાં
જણાવ્યુ હતુ.

Related Posts