વડીયાની પ્રિન્સિપાલ સિવિલ કોર્ટમાં જજ અને વકીલો વચ્ચે રકઝક થઈ હતી. વડિયા વકીલો દ્વારા કોર્ટ બહાર ધરણા શરૂ કરાયા હતા. ધરણા શરૂ કર્યા એ દરમ્યાન એડવોકેટને હાર્ટનો પ્રોબ્લમ થવાથી તરત જ 108 બોલાવીને વકીલને વડિયા આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા હતા. વડિયા વકીલ મંડળમાં રોષ જોવા મળ્યો છે. વકીલો દ્વારા પ્રિન્સિપાલ જજ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. આ દરમીયાન એડ્વોકેટ નાગજીભાઈ રાઠોડની તબિયત લથડી હતી. વકીલોએ પ્રિન્સિપાલ જજ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
અમરેલી-વડિયા કોર્ટમાં જજ અને વકીલો વચ્ચે થઈ બબાલ

Recent Comments