અમરેલી

અમરેલી-વડિયા કોર્ટમાં જજ અને વકીલો વચ્ચે થઈ બબાલ

વડીયાની પ્રિન્સિપાલ સિવિલ કોર્ટમાં જજ અને વકીલો વચ્ચે રકઝક થઈ હતી. વડિયા વકીલો દ્વારા કોર્ટ બહાર ધરણા શરૂ કરાયા હતા. ધરણા શરૂ કર્યા એ દરમ્યાન એડવોકેટને હાર્ટનો પ્રોબ્લમ થવાથી તરત જ 108 બોલાવીને વકીલને વડિયા આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા હતા. વડિયા વકીલ મંડળમાં રોષ જોવા મળ્યો છે. વકીલો દ્વારા પ્રિન્સિપાલ જજ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. આ દરમીયાન એડ્વોકેટ નાગજીભાઈ રાઠોડની તબિયત લથડી હતી. વકીલોએ પ્રિન્સિપાલ જજ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Related Posts