અલ્લુ અર્જુન સૌથી વધુ કેરિંગ અને પ્રેમાળ બોસ તરીકે જાણીતો છે. એક સપ્તાહ પહેલા જ અલ્લુ કોરોનાવાઈરસથી સ્વસ્થ થયો છે. આ ક્વોરન્ટાઈન પિરિઅડમાં તેણે એક મોટો ર્નિણય લીધો, જેનો હવે તે અમલ કરવા જઈ રહ્યો છે. તે સુનિશ્ચિત કરી રહ્યો છે કે તેના ૪૫ વર્ષથી વધુની વયના તમામ સ્ટાફ મેમ્બર્સનું વેક્સિનેશન થઈ જાય.
અર્જુને હંમેશાં પોતાની કોર ટીમની પરિવારની જેમ સંભાળ રાખે છે. કોરોનાકાળમાં તેને એક ડગલું આગળ વધીને એ સુનિશ્ચિક કર્યું છે કે સ્ટાફના પરિવારના સભ્યો જેમની ઉંમર ૪૫ વર્ષ કરતાં વધારે છે તેમને પણ રસી આપવામાં આવે. અલ્લુના સ્ટાફ માટે આ પહેલીવાર નથી કે જ્યારે અભિનેતાએ તેના માટે પ્રાધાન્ય આપ્યું હોય. અગાઉ પણ તે લોકડાઉન દરમિયાન સ્ટાફ માટે જરૂરી વ્યવસ્થા કરી છે.
અલ્લુ અર્જુને ૪ સપ્તાહ પહેલા એક પોસ્ટ લખી હતી, હેલ્લો એવરીવન. મારો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મેં ઘરે જ પોતાને ક્વોરન્ટીન કર્યો છે અને દરેક પ્રોટોકોલ ફોલો કરી રહ્યો છું. છેલ્લા થોડા દિવસ પહેલાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ ટેસ્ટ કરાવી લે. ઘરે જ રહો અને સુરક્ષિત રહો. તક મળે તો વેક્સિન ચોક્કસ લઇ લેજાે. હું મારા શુભચિંતકો અને પ્રશંસકો વિંનતી કરું છું કે તેઓ, મારી ચિંતા ના કરે, કારણ કે હું સ્વસ્થ છું.
અલ્લુ અર્જુન કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા બાદ વેક્સિનેશનની જવાબદારી ઉઠાવી

Recent Comments