ખૂબ જ ગૌરવપૂર્ણ કહી શકાય કે જે લોકો ૧૫-૨૦ વરસ પહેલા પોતાનુ શિક્ષણ જે સ્કુલમા મેળવ્યું એનુ ઋણ અદા કરીને બીજી પેઢી માટે કંઈક સારુ કાર્ય કરી રહ્યા છે. ગામના લોકો સાથે મળીને લોક ફાળાથી (મુખ્ય દાતા : ડો. પ્રકાશભાઈ બરવાળીયા) પાણીની તંગી દૂર કરવા માટે તન મન ધનથી કાળા તડકામાં પણ મહેનત કરી રહ્યા છે અને ભવિષ્યને ઉજ્જવલ બનાવી રહ્યા છે.બસ દરેક ગામના શહેરમાં વસતા કે સારી પોસ્ટ પર હોય કે બિઝનેસમા સફળ લોકો પોતાની માતૃભૂમિ માટે કંઈક ને કંઈક કાર્ય કરે તો આગામી ૧૦ વરસમાં દરેક ગામની સકલ અને સિકલ બદલાય જાય. ઉત્તમ કામગીરી હાથ ધરાઈ છે -અજમેરા અને એમની ટીમ (આંબરડી) તથા ડો. પ્રકાશભાઈ બરવાળીયા અને નવસર્જન ટીમ (થોરડી)
આંબરડીમાં શિક્ષણ યજ્ઞ, હાલમાં થોરડી અને આંબરડી બન્ને બાજુ બાજુના ગામમાં બે યજ્ઞ ચાલી રહ્યા છે

Recent Comments