ગુજરાત

આણંદના રાસનોલમાં પરિવારના ૩ સભ્યોએ કર્યો સામુહિક આપઘાત

ગુજરાતમાં આજે વધુ એક સામુહિક આપઘાતના કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આણંદના રાસનોલમાં એક પરિવારે સામુહિક આપઘાત કરવા માટે ગળેફાંસો ખાઈ લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામે છે. સામુહિક આપઘાતના આ કિસ્સામાં પરિવારનાં બે સભ્યોનાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો છે. આ મામલે ખંભોળજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાે કે આ આત્મહત્યા કયા કારણોસર કરવામાં આવી છે તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Related Posts