ભાવનગર. શિશુવિહાર નું અભિવાદન રોટરી કલબ(રોયલ) ભાવનગર તથા નેશન બિલ્ડર ભાવનગર દ્વારા યુવા પેઢીમાં બદલાવ ઉપર અસરકારક પ્રભાવ મૂકનાર વ્યક્તિઓનું રાષ્ટ્રિય સ્તરે અભિવાદન કરવામાં આવે છે.વર્ષ ૨૦૨૩ સુધીમાં શિશુવિહાર સંસ્થાના માધ્યમથી ૨૩૪ શિબિરો થકી ૪૮,૬૧૮ વિદ્યાર્થીઓમાં આપત્તિ નિવારણ તાલીમ આપનાર શ્રી હરેશભાઈ માનભાઈ ભટ્ટનું ભાવનગરના પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણાના વરદ હસ્તે અભિવાદન ભાવનગર માટે ગૌરવવંત બની રહે છે. પ્રત્યક્ષ તાલીમના માધ્યમથી કૌશલ્ય વિકાસનો શિશુવિહારનો અભિગમ ને નવી પેઢી સુધી પહોંચાડનાર શ્રી હરેશભાઈ ની અભિનદન..
આપત્તિ નિવારણ તાલીમ આપનાર શ્રી હરેશભાઈ ભટ્ટનું ભાવનગરના પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણાના વરદહસ્તે અભિવાદન

Recent Comments