‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગ રૂપે – ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરવા માટે ઊર્જા મંત્રાલયે વિવિધ રાજ્ય સરકારો સાથે મળીને આયોજન કરેલ. જે અંતર્ગત ગુજરાતના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં ‘વીજળી મહોત્સવ’નું આયોજન હાથ ધરેલ જેના ભવ્ય સમાપન સમારોહ તથા પાવર સેક્ટરમાં થયેલ પ્રગતિના ઉજવણી તથા ૨૦૪૭ સુધીના ભવિષ્યનું આયોજન, રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કિમ તથા નેશનલ સોલાર રૂફટોપ પોર્ટલનું ડિજિટલ લોન્ચિંગ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્દ હસ્તે વિડીઓ કોન્ફરન્સ મારફતે શનિવાર તારીખ ૩૦મી જુલાઈ ૨૦૨૨ ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે મુખ્ય અતિથિ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, માનનીય કેબીનેટમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ શ્રી શંભુજી ઠાકોર, માનનીય ધારાસભ્ય, ગાંધીનગર-દક્ષિણ, શ્રી હિતેશભાઈ મકવાણા, માનનીય મેયર, ગાંધીનગર મહાનગરપાલિકા, સુશ્રી મમતા વર્મા, અગ્ર સચિવ, ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ, સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરીમાં પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, રાયસણ, તા.જી. ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે. ‘વીજળી મહોત્સવ’ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેના સહયોગથી ઉજવણી કરી વીજક્ષેત્રની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે એક મંચ તરીકે પ્રસ્તુત કરવામાં આવેલ જેના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે.
વીજ ઉત્પાદનની ક્ષમતા ૨૦૧૪માં ૨,૪૮,૫૫૪ મેગાવોટથી હતી તે આજે વધીને ૪,૦૦,૦૦૦ મેગાવોટ થઈ છે જે આપણી માંગ કરતાં ૧,૮૫,૦૦૦ મેગાવોટ વધુ છે. ભારત હવે તેના પાડોશી દેશોમાં વીજળીની નિકાસ કરી રહ્યું છે ૧,૬૩,૦૦૦ _ સર્કીટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન ઉમેરવામાં આવી છે, જેથી કરી સમગ્ર દેશને એક જ ફ્રીક્વન્સી પર ચાલતી એક જ ગ્રીડમાં જાેડે છે. લદ્દાખથી કન્યાકુમારી અને કચ્છથી મ્યાનમાર સરહદ સુધી તે વિશ્વની સૌથી મોટી સંકલિત ગ્રીડ તરીકે ઉભરી આવી છે. આ ગ્રીડનો ઉપયોગ કરીને આપણે દેશના એક ખૂણેથી બીજા ખૂણે ૧,૧૨,૦૦૦ મેગાવોટ વીજળી ટ્રાન્સમિટ કરી શકીએ છીએ.
ભારતે પેરીસ માં યોજાયેલ કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ(ર્ઝ્રંઁ૨૧)માં વચન આપ્યું હતું કે ૨૦૩૦ સુધીમાં અમારી વીજ ઉત્પાદન ક્ષમતાના ૪૦% રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી હશે. અમે નિર્ધારિત સમય કરતાં ૯ વર્ષ વહેલા નવેમ્બર ૨૦૨૧ સુધીમાં આ લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે. રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો દ્વારા ૧,૬૩,૦૦૦ મેગાવોટ જનરેટ કરીએ છીએ . અમે વિશ્વમાં ઝડપી ગતિએ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સ્થાપિત કરી રહ્યા છીએ. કુલ રૂ. ૨,૦૧,૭૨૨ કરોડના ખર્ચ સાથે અમે છેલ્લાં પાંચ વર્ષમાં વીજ વિતરણ માળખાને મજબૂત બનાવ્યું છે
જેનાથી ખેતીવાડીના ગ્રાહકો ને ખેતીવાડી ફીડરમાંથી વીજપુરવઠો સાતત્ય પૂર્વક પૂરી ક્ષમતા થી નક્કી ધારાધોરણ મુજબ મળી રહે તે માટે ૨,૯૨૧ નવા સબ-સ્ટેશનો બનાવીને, ૩,૯૨૬ સબ-સ્ટેશનોની હયાત ક્ષમતામાં વધારો કરીને, તેમજ ૨,૬૮,૮૩૮ સર્કીટ કિલોમીટર ભારે વીજ દબાણ ની વીજ લાઈનો ૬,૦૪,૪૬૫ સર્કીટ કિલોમીટર હળવા દબાણ ની વીજ લાઈનો ઉભી કરવામ આવેલ છે.
• ૨૦૧૫માં ગ્રામીણ વિસ્તારોમાં પુરવઠાના સરેરાશ કલાકો ૧૨.૫ કલાક હતા જે હવે વધીને સરેરાશ ૨૨.૫ કલાક થયા છે.
• સરકારે વીજળી (ગ્રાહકોના અધિકારો) નિયમો, ૨૦૨૦ રજૂ કર્યા છે જે હેઠળ-
• નવું કનેક્શન મેળવવા માટેની મહત્તમ સમય મર્યાદા જાહેર કરવામાં આવી છે
• ગ્રાહકો હવે રૂફ ટોપ સોલાર અપનાવીને પ્રોઝ્યુમર બની શકે છે
• સમયસર બિલિંગ સુનિશ્ચિત કરવામાં આવશે
• મીટર સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે સમયરેખા સૂચિત કરશે
• રાજ્ય નિયમનકારી સત્તા અન્ય સેવાઓ માટે સમયરેખા સૂચિત કરશે
• ડિસ્કોમ ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણ માટે ૨૪ઠ૭ કોલ સેન્ટર સ્થાપશે
• ૨૦૧૮ માં ૯૮૭ દિવસમાં ૧૦૦% ગ્રામ વિદ્યુતીકરણ (૧૮,૩૭૪) હાંસલ કર્યું
• ૧૮ મહિનામાં ૧૦૦% ઘરગથ્થુ વિદ્યુતીકરણ (૨.૮૬ કરોડ) પ્રાપ્ત કર્યું. વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિફિકેશન ડ્રાઇવ તરીકે ઓળખાય છે.
• સોલાર પંપ અપનાવવા માટેની યોજના રજૂ કરવામાં આવી છે જેમાં – કેન્દ્ર સરકાર ૩૦% સબસિડી આપશે અને રાજ્ય સરકાર ૩૦% સબસિડી આપશે. આ ઉપરાંત ૩૦% લોનની સુવિધા પણ મળશે.
સમાપન સમારંભમાં દિલ્હી ખાતેથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કિમ તથા નેશનલ સોલાર રૂફટોપ પોર્ટલનું ડિજિટલ લોન્ચિંગ કરી પ્રજા જાેગ સંદેશ પાઠવવામાં આવશે.
Recent Comments